Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

ભૌગોલિક દૃષ્‍ટિએ દાદરા નગર હવેલીનો ભાગ ગણાતા મેઘવાડ, નગર, રાયમાળ અને મધુબન ગામને કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા તેજ બનેલી કવાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.20
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામનો સમાવેશ પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં થઈ રહ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીની લગોલગ આવેલા અને ભૌગોલિક દૃષ્‍ટિએ પણ દાદરા નગર હવેલીનો જ ભાગ ગણાતા મેઘવાડ, નગર, રાયમાળ અને મધુબન ગામનો સમાવેશ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે.
અત્રે નોંધનીય છે કે, મેઘવાડ, નગર, રામમાળ અને મધુબન વિસ્‍તારના લોકોને પોતાના વહીવટી કામો માટે કપરાડા સુધી લાંબા થવું પડે છેઅને તંત્રને પણ છેવાડેના ગામોની દેખભાળ માટે વધુ ખર્ચ પણ સહન કરવો પડે છે. છેવટે આ ચાર ગામોને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સમાવવા માટેની કાર્યવાહી શરૂ થતાં આ વિસ્‍તારના લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.

દમણ નજીકના પલસેટ, કુંતા, વટાર તથા દાદરાની નજીક આવેલ લવાછાના પણ બહુમતી લોકો કેન્‍દ્ર શાસિત પ્રદેશનો હિસ્‍સો બનવા ઉત્‍સુક

…તો ગુજરાત રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશનો ભૌગોલિક નક્‍શો પણ સરળ અને સૂરેખ બની શકશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
દમણની નજીક આવેલ પલસેટ, કુંતા, વટાર તથા દાદરાની નજીક આવેલ લવાછાને પણ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સમાવવા માટે મોટાભાગના સ્‍થાનિક લોકો ઉત્‍સુક છે. પરંતુ કેટલાક રાજકારણીઓ પોતાના સ્‍વાર્થના કારણે આ ગામડાઓને કેન્‍દ્ર શાસિત પ્રદેશ સાથે જોડવા રોકી રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સાથે તેની પડોશના પલસેટ, કુંતા, વટાર તથા દાદરાની નજીક આવેલ લવાછાને સમાવવાથી ભૌગોલિક નક્‍શો પણ સરળ બનશે અને વહીવટી દૃષ્‍ટિએ પણ વધુ અનુラકૂળતા રહેશે. આ બાબતે પણ કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકાર મંથન કરે એવી લાગણી પણવ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્‍થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

Leave a Comment