October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

335 દર્દીઓ સાજા થયા સૌથી વધારે કેસ વલસાડ વિસ્‍તારમાં 267 નોંધાયા
(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી બ્‍યુરો, તા.20:
વલસાડ જિલ્લામાં કોરોનાએ ધૂંઆધાર બેટીંગ કરી જિલ્લાને ડેન્‍જર ઝોનમાં ધકેલી દીધો છે. ગુરૂવારે જીલ્લામાં પાંચ સેન્‍ચુરી નજીક 446 સ્‍કોર કોરોનાએ નોંધાવતા સ્‍થિતિ ગંભીરતા તરફ આગળ ધપી રહી છે.
વલસાડ જીલ્લામાં કોરોના છેલ્લા એક સપ્તાહથી રોજના બમણા વેગે પોઝીટીવ કેસ વધી રહ્યા છે. ગુરૂવારે સૌથી વધારે વલસાડ વિસ્‍તારમાં 237, પારડી વિસ્‍તારમાં 50, વાપી 87, ઉમરગામ 28, ધરમપુર 34 અને કપરાડામાં 10 મળી કુલ 446 જેટલા આંચકાજનક કેસો નોંધાયા હતાં. રાહતના સમાચાર એ રહ્યા છે કે ગુરૂવારે 335 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. પરંતુ આ રાહત ક્ષણિક લેખાવવી રહી, કારણકે, જયાં સુધી કોરોનાના કેસોની બેફામ વધતી રફતાર થંભે નહીં ત્‍યાં સુધી જિલ્લા માટે લાલબત્તી સમાન સ્‍થિતિ જોવી રહી.

Related posts

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહનો પડઘો’ : રાનવેરીખુર્દમાંઆંગણવાડી અને શૌચાલય બનાવવા માટે તાત્‍કાલિક ટીડીઓ-ડીપીઈઓ દ્વારા સૂચનાઓ અપાઈ

vartmanpravah

વાપી બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વીઆઈએમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment