Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.20
ઉમરગામ તાલુકાના મોહનગામ, ઝંબોરી, એકલારા સહિતના કેટલા ગામડાઓમાંથી પસાર થતી દમણગંગા નદીના પાણી અત્‍યંત કેમિકલયુક્‍ત લાગતા સ્‍થાનિક પ્રજામાં રોષની લાગણી વ્‍યાપી જવા પામી છે. તાજેતરમાં સચીન જીઆઇડીસીની ખાડીમાં ટેન્‍કરમાંથી ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવેલો મુંબઈની હાઈકેલ કંપનીનો સોડિયમ હાઈડ્રો સલ્‍ફાઇટ કેમિકલ વેસ્‍ટ અને ત્‍યારબાદ બનવા પામેલી ગોઝારી ઘટનામાં છ વ્‍યક્‍તિના મોત અને 20 જેટલા ઘાયલ થયા હતા જેની તપાસ હજુ ચાલુ છે.
વાપી, સરીગામ તેમજ આજુબાજુના વિસ્‍તારમાં ભૂતકાળમાં ટેન્‍કરમાંથી કેમિકલ વેસ્‍ટ છોડવાની અનેકવાર ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. જેથી નદી- નાળાઓમાં છોડાતા કેમિકલ વેસ્‍ટની ઘટના ઉપર અંકુશ મૂકવો જરૂરી બની ગયો છે. હાલમાં દમણગંગાનદીનું પાણી અત્‍યંત કેમિકલયુક્‍ત જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેતીના વપરાશમાં તેમજ પશુ-પંખીઓને પીવા માટે જોખમકારક બની ગયું છે. આ અગાઉ સ્‍થાનિકો દમણગંગા નદીના પાણીનો ઉપયોગ ખેતીવાડી અને અન્‍ય કામમાં કરતા હતા, પરંતુ કેટલાક દિવસથી નદીમાં કોઈ કંપની દ્વારા કે ટેન્‍કરો મારફતે કેમિકલયુક્‍ત પાણી છોડવામાં આવવાની પ્રબળ શક્‍યતા જણાઈ રહી છે. જેના કારણે સ્‍થાનિકોમાં ભારે રોષની લાગણી વ્‍યાપી જવા પામી છે.
આ ઘટનામાં ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ કમિટી દ્વારા યોગ્‍ય તપાસ હાથ ધરી કસૂરવારો સામે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Related posts

વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ખાતે ૭પમા ગણતંત્ર દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીઃ બે વ્‍યક્‍તિઓની પોલીસે કરેલી અટકાયત

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

Leave a Comment