Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
વલસાડ જિલ્લામાં બેફામ બની રહેલ કોરોના સંક્રમણને ધ્‍યાને લઈને જિલ્લાના વલસાડ અને વાપી શહેરમાં તા. રર/1/રરથી તા. ર9/1/રર સુધી રાત્રે 10 વાગ્‍યાથી સવારે 6.00 સુધી કરફયુ અમલી રહેશે તેવું ગૃહ વિભાગેફરમાન કર્યુ છે.
વલસાડ જિલ્લામાં વલસાડ અને વાપી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને નિયંત્રિત કરવા માટે ગૃહ વિભાગે રાજ્‍યમાં ર1 મહાનગરો અને શહેરોમાં રાત્રી કરફયુ અમલી કરવાનો નિર્ણય લીધો છે. તેથી વાપી-વલસાડ શહેરોમાં વાણિજ્‍ય પ્રવૃત્તિઓ રાત્રે 10 વાગ્‍યા સુધી કાર્યરત રહેશે તેમજ કોરોના ગાઈડ-લાઈન મરણ અને લગ્ન પ્રસંગમાં સખ્‍તાઈથી અમલ કરવાનો રહશે. જાહેર મેળાવડા-સમારંભો યોજી શકાશે નહી.
શાળા-કોલેજોની પરીક્ષાઓ એસ.ઓ.પી.મુજબ યોજી શકાશે. સ્‍પોર્ટ્‌સ પ્રવૃતિ પ્રેક્ષકોની હાજરી વગર ચાલુ રાખી શકાશે. કરફયુ દરમિયાન બિમાર વ્‍યક્‍તિ તથા મુસાફરોને ટિકિટ રજૂ કર્યાથી કરફયુમાં છૂટછાટ અપાઈ છે તેમજ આવશ્‍યક સેવાઓને છૂટછાટ અપાઈ છે.

Related posts

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

vartmanpravah

નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન : રનર્સ અપ બનતી કંકુ વોરિયર

vartmanpravah

Leave a Comment