April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
વલસાડ જિલ્લામાં બેફામ બની રહેલ કોરોના સંક્રમણને ધ્‍યાને લઈને જિલ્લાના વલસાડ અને વાપી શહેરમાં તા. રર/1/રરથી તા. ર9/1/રર સુધી રાત્રે 10 વાગ્‍યાથી સવારે 6.00 સુધી કરફયુ અમલી રહેશે તેવું ગૃહ વિભાગેફરમાન કર્યુ છે.
વલસાડ જિલ્લામાં વલસાડ અને વાપી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને નિયંત્રિત કરવા માટે ગૃહ વિભાગે રાજ્‍યમાં ર1 મહાનગરો અને શહેરોમાં રાત્રી કરફયુ અમલી કરવાનો નિર્ણય લીધો છે. તેથી વાપી-વલસાડ શહેરોમાં વાણિજ્‍ય પ્રવૃત્તિઓ રાત્રે 10 વાગ્‍યા સુધી કાર્યરત રહેશે તેમજ કોરોના ગાઈડ-લાઈન મરણ અને લગ્ન પ્રસંગમાં સખ્‍તાઈથી અમલ કરવાનો રહશે. જાહેર મેળાવડા-સમારંભો યોજી શકાશે નહી.
શાળા-કોલેજોની પરીક્ષાઓ એસ.ઓ.પી.મુજબ યોજી શકાશે. સ્‍પોર્ટ્‌સ પ્રવૃતિ પ્રેક્ષકોની હાજરી વગર ચાલુ રાખી શકાશે. કરફયુ દરમિયાન બિમાર વ્‍યક્‍તિ તથા મુસાફરોને ટિકિટ રજૂ કર્યાથી કરફયુમાં છૂટછાટ અપાઈ છે તેમજ આવશ્‍યક સેવાઓને છૂટછાટ અપાઈ છે.

Related posts

ભર બપોરે ઉકળાટના માહોલ વચ્‍ચે વાદળોમાં છવાયો અંધારપટ્ટઃ કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ

vartmanpravah

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

vartmanpravah

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment