June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
વલસાડ જિલ્લામાં બેફામ બની રહેલ કોરોના સંક્રમણને ધ્‍યાને લઈને જિલ્લાના વલસાડ અને વાપી શહેરમાં તા. રર/1/રરથી તા. ર9/1/રર સુધી રાત્રે 10 વાગ્‍યાથી સવારે 6.00 સુધી કરફયુ અમલી રહેશે તેવું ગૃહ વિભાગેફરમાન કર્યુ છે.
વલસાડ જિલ્લામાં વલસાડ અને વાપી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને નિયંત્રિત કરવા માટે ગૃહ વિભાગે રાજ્‍યમાં ર1 મહાનગરો અને શહેરોમાં રાત્રી કરફયુ અમલી કરવાનો નિર્ણય લીધો છે. તેથી વાપી-વલસાડ શહેરોમાં વાણિજ્‍ય પ્રવૃત્તિઓ રાત્રે 10 વાગ્‍યા સુધી કાર્યરત રહેશે તેમજ કોરોના ગાઈડ-લાઈન મરણ અને લગ્ન પ્રસંગમાં સખ્‍તાઈથી અમલ કરવાનો રહશે. જાહેર મેળાવડા-સમારંભો યોજી શકાશે નહી.
શાળા-કોલેજોની પરીક્ષાઓ એસ.ઓ.પી.મુજબ યોજી શકાશે. સ્‍પોર્ટ્‌સ પ્રવૃતિ પ્રેક્ષકોની હાજરી વગર ચાલુ રાખી શકાશે. કરફયુ દરમિયાન બિમાર વ્‍યક્‍તિ તથા મુસાફરોને ટિકિટ રજૂ કર્યાથી કરફયુમાં છૂટછાટ અપાઈ છે તેમજ આવશ્‍યક સેવાઓને છૂટછાટ અપાઈ છે.

Related posts

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

vartmanpravah

બગવાડા હાઇવે પરથી ગૌરક્ષકો અને પોલીસે ગાય અને વાછરડા ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah

લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવા અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાના હેતુથી દાનહમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-2024” પ્રેકૃતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી એક બાળકને અન્‍ય રાજ્‍યના માતા-પિતાને દત્તક અપાયું

vartmanpravah

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

vartmanpravah

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment