March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ રાઈટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પલસરી એજ્‍યુકેશન એક્‍ટ 12(1)જોગવાઈ હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમા ધોરણ એકમા 25 ટકા જેટલા નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મુલ્‍યે પ્રવેશ આપવો ફરજીયાત છે,
આથી આર્થિક રીતે નબળા વર્ગ જે કુટુંબોની આવક એક લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબો શારીરિક રીતે અક્ષમ બાળકો 40 ટકા કરતા વધુ અક્ષમતાનું પ્રમાણપત્ર ધરાવતા બાળકો, અનુસૂચિત જનજાતિ, અનુસુચિત જાતિ એસસી વર્ગના અને ઓબીસી જે દાનહના પ્રશાસનના જાહેરનામામાં સૂચિત કરવામા આવેલું છે. એવા બાળકો પ્રવેશ માટે પાત્ર ગણવામા આવશે.
ઉપરોક્‍ત ઉલ્લેખ કરેલ વર્ગના બાળકો કે જેઓ એ છ વર્ષ પુર્ણ કરેલ હોય, તેમની ઉંમર મર્યાદા માટેસંદર્ભ તારીખ 30મી સપ્‍ટેમ્‍બર 2022 રહેશે. શાળાના નામની યાદી અને પ્રવેશની અનામત જગ્‍યા, ધ્‍યાનમાં લઇ જરૂરી આધાર પુરાવાઓ સાથે પ્રવેશ અરજી શિક્ષણ વિભાગ, દાદરા નગર હવેલી, સેલવાસ અને સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા મરાઠી મીડીયમ, ખાનવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, દમણ અને દીવ ખાતે 21મી ફેબ્રુઆરી 2022સુધીમાં જાહેર રજા સિવાય ઓફિસ સમય દરમ્‍યાન જમા કરાવવાની રહેશે.
ખાનગી શાળામાં પ્રવેશ માટે અરજીપત્રકનો નિયત નમુનો અને ખાનગી શાળાની યાદી અને અનામત જગ્‍યા દર્શાવતા પત્રકને અધિકળત વેબસાઈટ https://ddd.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કાયમી રહેઠાણ અંગેનુ પ્રમાણપત્ર ધરાવતા અરજદારોને પ્રથમ પસંદગી આપવામા આવશે.

Related posts

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપ ભરેલ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્‍પિટલમાં શ્રી વિનોબા ભાવે અને દમણની નર્સિંગ કોલેજના 100 ટકા વિદ્યાર્થીઓને મળેલું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

વલસાડ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

Leave a Comment