December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 80 હજાર અને શહેરી વિસ્તારમાં 85 હજાર ઘરોને આવરી લેવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી થનાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનમાં લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 1.65 લાખ ઘરો પર તિંરગો લહેરાઈ એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
હર ઘર તિંરગા અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં તા. 13થી 15 ઓગસ્ટ સુધી ગ્રામીણ વિસ્તારોમાં 80 હજાર અને શહેરી વિસ્તારોમાં 85 હજાર ઘરો પર દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાશે. જે મુજબ વલસાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો વલસાડ તાલુકાના 31 હજાર, પારડી તાલુકાના 12 હજાર, વાપી તાલુકાના 12 હજાર, ઉમરગામ તાલુકાના 12 હજાર, ધરમપુર તાલુકાના 7 હજાર અને કપરાડા તાલુકાના 6 હજાર ઘરો પર તિરંગો લહેરાશે, જ્યારે શહેરી વિસ્તારમાં વલસાડ પાલિકામાં સમાવિષ્ટ 30 હજાર, વાપીમાં 30 હજાર, ઉમરગામમાં 10 હજાર, પારડીમાં 10 હજાર અને ધરમપુરમાં 5 હજાર ઘરો પર તિંરગો લહેરાશે. રાષ્ટ્રધ્વજ આંગણવાડી, સ્કૂલ, પંચાયત, સસ્તા અનાજની દુકાન અને પોસ્ટ ઓફિસમાંથી લોકો ખરીદી રહ્યા છે. 20×30નો રાષ્ટ્રધ્વજ પાલિકા વિસ્તારમાં સ્ટીક સાથે રૂ. 30 માં અને ગ્રામીણ વિસ્તારમાં સ્ટીક વિના રૂ. 21માં ખરીદી શકાશે.

Related posts

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

vartmanpravah

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી પાલિકા જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે સ્‍થાનિકોએ વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

Leave a Comment