Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના શિવસૈનિકો આજે તા.23મી જાન્‍યુઆરીના રોજ શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની જન્‍મજયંતિ ઉત્‍સવ ગામડાઓમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી ઉજવવામાં આવ્‍યો હતો.
સેલવાસ આમલી સ્‍થિત શિવસેનાના કાર્યાલય પર બાળાસાહેબની જન્‍મજયંતિ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી. આ અવસરે શિવસેના સંસ્‍થાપક સ્‍વ. બાળાસાહેબ ઠાકરેને યાદ કરી એમની 96મી જયંતિ પર એમની પ્રતિમા પર પુષ્‍પ અર્પણ કરી નમન કર્યા હતા. ત્‍યારબાદ શિવસૈનિકોએ પ્રદેશના ગ્રામીણ વિસ્‍તારમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને માસ્‍કનુ વિતરણ કર્યું હતું. જે દરમ્‍યાન કોવીડ-19ના ગાઈડલાઇનનું વિશેષ ધ્‍યાન રાખવામા આવ્‍યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, બાળાસાહેબ ઠાકરેનો જન્‍મ 23મી જાન્‍યુઆરી, 1926ના રોજ થયો હતો. જેઓએ 1966માં શિવસેના પાર્ટીની સ્‍થાપના કરી જે વર્તમાનમા મહારાષ્‍ટ્રમાં સરકાર ચાલી રહી છે.
આ અવસરે શ્રી રમેશ મોહિત, કાશીનાથ પવાર, રાહુલ સૂર્યવંશી, અરુણ પાટીલ, પ્રભાકર પાટીલ સહિતકાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દહાડ પ્રાથમિક શાળાની જમીન વિવાદિત મુદ્દે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્રએ પાઠવેલી નોટિસ

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દાનહમાં સમગ્ર શિક્ષણ અંતર્ગત યોજાયો જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવઃ જિલ્લાના 4 વિભાગોએ અલગ અલગ થીમ ઉપર રજૂ કરેલી કૃતિઓ: દરેક થીમ માટે આપવામાં આવેલા પ્રથમ અને દ્વિતીય નંબર

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં અતિશય વરસાદ પડતા 20 જેટલા માર્ગો બંધ કરાયા

vartmanpravah

Leave a Comment