Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30
વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ ચોકડી પાસે ગતરોજ એક પલસર બાઈકમાં ભીષણ આગ લાગતા હાઈવે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ બાઈક ચાલક રહસ્‍યમય રીતે ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયો હતો.
ગુંદલાવ હાઈવે ચોકડી ઉપર પલસર બાઈકમાં આગ લાગતા ભડ ભડ બાઈક સળગી ઉઠયુ હતું. વાહન ચાલકો એકત્ર થઈ ગયેલા ટ્રાફિક પણ જામ થઈ ગયેલો પરંતુ બાઈક ચાલક ઘટના સ્‍થળે નહી દેખાતા ઘટના વધુ રહસ્‍યમય બની હતી. પોલીસે બાઈકની આગ બુઝાવી સાઈડમાં કરી ટ્રાફીક ચાલુ કરાવ્‍યો હતો અને બાઈક ચાલકની શોધખોળ આરંભી હતી.

Related posts

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી નગરપાલિકા વિસ્‍તાર માટે સફાઈ માટે નવો કોન્‍ટ્રાક્‍ટ રૂા.7.25 કરોડનો અપાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

Leave a Comment