(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30
વાપી જીઆઈડીસી ચણોદ કોલોનીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફલેટના રસોડામાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબચણોદ કોલોનીમાં આવેલ નિલકમલ ફલેટના ત્રીજા માળે રૂમ નં.302માં રહેતા વસંતભાઈ વાલજીભાઈ ગોરીએ ઘરના રસોડામાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વસંતભાઈ કોઈ ટ્રાન્સપોર્ટ ઓફીસમાં નોકરી કરતા હતા. ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસમાં તેમના ભાઈ વિનોદભાઈ વાલજી રહે.દિલીપનગરએ જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.