2022-23ના વર્ષ માટે વલસાડ જિલ્લાની 252 શાળાઓમાં 2344 જગ્યાઓ ઉપર પ્રવેશ મળશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25ૅ મુજબ વિનામુલ્યે ધો.1 માં નબળાઅને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 લી જુન, 2022 ના રોજ પાંચ વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. આ એક્ટ અંતર્ગત વર્ષ 2022-23માં વલસાડ જિલ્લાની 252 બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ 2344 જગ્યાઓ ઉપર પ્રવેશ મળવાપાત્ર છે. બાળકના વાલી https://rte.orpgujarat.comળ વેબસાઈટ ઉપર તા.30 માર્ચ, 2022 થી તા.11મી એપ્રિલ, 2022 દરમિયાન પ્રવેશફોર્મ ભરી શકશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પ લાઈન નં. 02632- 253210 ઉપર સંપર્ક કરવાનો રહેશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ, વાલીએ પોતાની પાસે જ રાખવાની રહેશે. કોવિડ 19 મહામારીના કારણે ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કયાંય જમા કરવાની રહેશે નહીં. બાળકનો પ્રવેશ કન્ફર્મ ન થાય ત્યાં સુધી વેબસાઇટ જોતા રહેવું. આ અંગે સંબંધિતોને મોબાઈલ નંબર ઉપર રાજય કક્ષાએથી મેસેજથી જાણ કરવામાં આવશે,તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.