August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

ડો. પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાએદાદરા નગર હવેલીના મધ્‍યમ સ્‍તરના ઉત્‍પાદન ઉદ્યોગો પર વિશ્વકક્ષાની ઉત્‍પાદન પ્રથાની અસરનો વિશ્‍લેનાત્‍મક અભ્‍યાસના વિષયમાં રજૂ કરેલો પોતાનો શોધ નિબંધ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 
સેલવાસની એસ.એસ.આર.કોલેજમાં પ્રાધ્‍યાપક તરીકે ફરજ બજાવતા શ્રી ભડા મોહમ્‍મદ બિલાલ અબુબકરને તેમના શોધનિબંધ ‘દાદરા નગર હવેલીના મધ્‍યમ સ્‍તરના ઉત્‍પાદન ઉદ્યોગો પર વિશ્વકક્ષાની ઉત્‍પાદન પ્રથાની અસરનો વિશ્‍લેનાત્‍મક અભ્‍યાસ’ને સાવિત્રીબાઈ ફૂલે પૂને યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી.ની. ડીગ્રી માટે માન્‍યતા આપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ડો.મોહમદ બિલાલ અબુબકર ભડાએ કરેલા સંશોધન અભ્‍યાસ અને તેના તારણો પીઆર કંપનીઓની શ્રેષ્‍ઠ પદ્ધતિઓ શીખવા અને બેચ માર્ક કરવા તથા વ્‍યક્‍તિગત પરિણામો ઉપર આત્‍મનિરીક્ષણ કરવા માટે ઉદ્યોગોને ઉપયોગી રહેશે. તેથી દાદરા નગર હવેલી ક્ષેત્રમાં પસંદગીના ઔદ્યોગિક એકમોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્‍યું છે. દાદરા નગર હવેલીના ઔદ્યોગિક ઝોનમાં વૈશ્વિક સ્‍તરની પદ્ધતિ અને ટેકનીકોના કોઈપણ પી.એચ.ડી.થીસીસ અને પ્રયોગમૂલક સંશોધન અત્‍યાર સુધી થયું નથી તેથી એસ.એસ.આર. કોલેજના પ્રા.ડો.મોહમદ બિલાલ અબુબકર ભડાએ આ ક્ષેત્રમાં કરેલું સંશોધન પ્રથમ છે. તેમણે પોતાના શોધ નિબંધમાં મધ્‍યમ પાયે ઉદ્યોગ, શૈક્ષણિકસાહિત્‍ય, સમાજ અને સરકારની ભૂમિકાનો પણ તુલનાત્‍મક અભ્‍યાસ કર્યો છે.

Related posts

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

ખોટી ભ્રામક વાતોથી છેતરાયા હોવાનો લોકોને અહેસાસ થતાં દમણ-દીવમાં આજે જો ચૂંટણી થાય તો ભાજપ પ્રચંડ બહુમતિથી વિજયી બનેઃ ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ

vartmanpravah

સેલવાસમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા અંડર-14 બોયઝ-ગર્લ્‍સ અને અંડર 17 બોયઝ-ગર્લ્‍સની પ્રિ-સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

Leave a Comment