April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
દાદરા નગર હવેલીના સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં ન્‍હાવા જતા તણાઈ જતા એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી નહેર નજીક રહેતા સિધ્‍ધાર્થ અવધેશ પાંડે ઉ.વ.11 જે સવારે લગભગ 10-30 વાગ્‍યાના સુમારે પોતાના ઘર નજીક આવેલ નહેરમાં બીજા 3 મિત્ર સાથે નહાવા ગયો હતો. સિધ્‍ધાર્થને તરતા આવડતુ નહીં હતું. જેથી જોતજોતામાં નહેરના પાણીમા ગરકાવ થઈ ગયો હતો. એના સાથી મિત્રોએ ઘટનાની જાણ એના પરિવારને કરી હતી.
ઘટના સ્‍થળથી થોડે દૂર સિધ્‍ધાર્થની બોડી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને પરિવારના સભ્‍યો પહોંચ્‍યા હતા. પોલીસની ટીમે લાશનો કબ્‍જો લઈ પીએમ માટે સિવિલમા મોકલી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ સુરેશ રાઉતે હાથ ધરી છે.

Related posts

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીની ઉત્‍કૃષ્‍ટ સિદ્ધિ

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કીર્તિ કાર્યક્રમ અંતર્ગત નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ઉપર યુવા ખેલાડીઓ માટે પ્રતિભા મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

Leave a Comment