(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
દાદરા નગર હવેલીના સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં ન્હાવા જતા તણાઈ જતા એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી નહેર નજીક રહેતા સિધ્ધાર્થ અવધેશ પાંડે ઉ.વ.11 જે સવારે લગભગ 10-30 વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક આવેલ નહેરમાં બીજા 3 મિત્ર સાથે નહાવા ગયો હતો. સિધ્ધાર્થને તરતા આવડતુ નહીં હતું. જેથી જોતજોતામાં નહેરના પાણીમા ગરકાવ થઈ ગયો હતો. એના સાથી મિત્રોએ ઘટનાની જાણ એના પરિવારને કરી હતી.
ઘટના સ્થળથી થોડે દૂર સિધ્ધાર્થની બોડી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને પરિવારના સભ્યો પહોંચ્યા હતા. પોલીસની ટીમે લાશનો કબ્જો લઈ પીએમ માટે સિવિલમા મોકલી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ સુરેશ રાઉતે હાથ ધરી છે.