April 28, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
દાદરા નગર હવેલીના સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં ન્‍હાવા જતા તણાઈ જતા એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી નહેર નજીક રહેતા સિધ્‍ધાર્થ અવધેશ પાંડે ઉ.વ.11 જે સવારે લગભગ 10-30 વાગ્‍યાના સુમારે પોતાના ઘર નજીક આવેલ નહેરમાં બીજા 3 મિત્ર સાથે નહાવા ગયો હતો. સિધ્‍ધાર્થને તરતા આવડતુ નહીં હતું. જેથી જોતજોતામાં નહેરના પાણીમા ગરકાવ થઈ ગયો હતો. એના સાથી મિત્રોએ ઘટનાની જાણ એના પરિવારને કરી હતી.
ઘટના સ્‍થળથી થોડે દૂર સિધ્‍ધાર્થની બોડી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને પરિવારના સભ્‍યો પહોંચ્‍યા હતા. પોલીસની ટીમે લાશનો કબ્‍જો લઈ પીએમ માટે સિવિલમા મોકલી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ સુરેશ રાઉતે હાથ ધરી છે.

Related posts

વાપીમાં 6 કરોડની બોગસ ઈનપુટ ટેક્‍સ ક્રેડીટ લેનાર સ્‍ક્રેપના વેપારીની ધરપકડ

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

vartmanpravah

ચીખલીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની બેઠક યોજાઈ

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

Leave a Comment