Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ નેહરુ યુવાકેન્‍દ્ર દ્વારા વિશ્વ કેન્‍સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી: યુવાનોને આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અંગે તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા વિશ્વ કેન્‍સર દિવસ નિમિત્તે યુવાનોને આરોગ્‍ય અને સ્‍વસ્‍થ જીવનશૈલી અંગે તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પરિયારી શાળાના આચાર્ય શ્રી મનિષભાઈ પટેલે યુવાનોને સંબોધતા જણાવ્‍યું હતું કે સારા આરોગ્‍ય માટે માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ સ્‍વસ્‍થ હોવું જરૂરી છે. કાર્યક્રમમાં આરોગ્‍ય નિષ્‍ણાંત તરીકે ઉપસ્‍થિત રહેલા ડો. સુહાસ સોલંકીએ યુવાનોને કેન્‍સર થવાના સંભવિત કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા.
આ દરમિયાન યોગ પ્રશિક્ષક શ્રી આકાશ ઉદેશી અને અર્જુન ઉદેશી દ્વારા યુવાનોને યોગની તાલીમ પણ આપવામાં આવી હતી. યોગ પ્રશિક્ષક આકાશે સમજાવ્‍યું હતું કે, યોગિક ક્રિયાઓ આપણા શરીર, મન અને પ્રકળતિને એકીકળત કરે છે. આ કાર્યક્રમના આયોજનમાં રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો નિકિતા, તોહા, ધ્રુવ અને અવિષેકે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

વલસાડ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂધ્‍ધ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત શાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલે આપેલો મંત્ર

vartmanpravah

Leave a Comment