December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ નેહરુ યુવાકેન્‍દ્ર દ્વારા વિશ્વ કેન્‍સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી: યુવાનોને આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અંગે તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા વિશ્વ કેન્‍સર દિવસ નિમિત્તે યુવાનોને આરોગ્‍ય અને સ્‍વસ્‍થ જીવનશૈલી અંગે તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પરિયારી શાળાના આચાર્ય શ્રી મનિષભાઈ પટેલે યુવાનોને સંબોધતા જણાવ્‍યું હતું કે સારા આરોગ્‍ય માટે માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ સ્‍વસ્‍થ હોવું જરૂરી છે. કાર્યક્રમમાં આરોગ્‍ય નિષ્‍ણાંત તરીકે ઉપસ્‍થિત રહેલા ડો. સુહાસ સોલંકીએ યુવાનોને કેન્‍સર થવાના સંભવિત કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા.
આ દરમિયાન યોગ પ્રશિક્ષક શ્રી આકાશ ઉદેશી અને અર્જુન ઉદેશી દ્વારા યુવાનોને યોગની તાલીમ પણ આપવામાં આવી હતી. યોગ પ્રશિક્ષક આકાશે સમજાવ્‍યું હતું કે, યોગિક ક્રિયાઓ આપણા શરીર, મન અને પ્રકળતિને એકીકળત કરે છે. આ કાર્યક્રમના આયોજનમાં રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો નિકિતા, તોહા, ધ્રુવ અને અવિષેકે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સહ-સદસ્‍ય સચિવ અમિત પી.કોકાટેના માર્ગદર્શન હેઠળ કચીગામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ કાનૂની શિબિરમાં એસસી/એસટી એટ્રોસીટી એક્‍ટ અને શિક્ષણના અધિકાર વિશે આપવામાં આવેલી માહિતી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

દીવ કૉલેજમાં વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment