March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ નેહરુ યુવાકેન્‍દ્ર દ્વારા વિશ્વ કેન્‍સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી: યુવાનોને આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અંગે તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા વિશ્વ કેન્‍સર દિવસ નિમિત્તે યુવાનોને આરોગ્‍ય અને સ્‍વસ્‍થ જીવનશૈલી અંગે તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પરિયારી શાળાના આચાર્ય શ્રી મનિષભાઈ પટેલે યુવાનોને સંબોધતા જણાવ્‍યું હતું કે સારા આરોગ્‍ય માટે માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ સ્‍વસ્‍થ હોવું જરૂરી છે. કાર્યક્રમમાં આરોગ્‍ય નિષ્‍ણાંત તરીકે ઉપસ્‍થિત રહેલા ડો. સુહાસ સોલંકીએ યુવાનોને કેન્‍સર થવાના સંભવિત કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા.
આ દરમિયાન યોગ પ્રશિક્ષક શ્રી આકાશ ઉદેશી અને અર્જુન ઉદેશી દ્વારા યુવાનોને યોગની તાલીમ પણ આપવામાં આવી હતી. યોગ પ્રશિક્ષક આકાશે સમજાવ્‍યું હતું કે, યોગિક ક્રિયાઓ આપણા શરીર, મન અને પ્રકળતિને એકીકળત કરે છે. આ કાર્યક્રમના આયોજનમાં રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો નિકિતા, તોહા, ધ્રુવ અને અવિષેકે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment