March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

વલસાડ જિલ્લામાં 6,07,167 બાળકોને આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ અને 1.50 લાખ બાળકોને વિટામીન-એ ના ડોઝ પીવડાવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે લોહતત્‍વ (હિમોગ્‍લોબીન) ખુબજ અગત્‍યનું સુક્ષ્મ ઘટક તત્‍વ છે. વધુમાં બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં લોહતત્‍વની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકને કળમિનાશક દવા આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઇ શકે છે. દર વર્ષે વર્ષમાં બે વાર ફેબ્રુઆરી અને ઓગસ્‍ટ માસમાં કળમિનાશક દવા આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે નેશનલ ડી વોમીંગ કે દ્વારા 1 થી 19 વર્ષના તમામ બાળકોને સામુહિક રીતે આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટકળમિનાશક ગોળી આપવામાં આવે છે. આ વર્ષે ફેબ્રુઆરી-2022માં જિલ્લાના આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા શાળા/ આંગણવાડી તથા ઘરે-ઘરે જઇ તમામ ઘરોને આવરી લઇ બાળકોને તા. 10-02-2022 થી તા.17-02-2022 સુધી નેશનલ ડી વોર્મીંગ ડે (કૃમિનાશક)ની ઉજવણી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં કુલ 6,07,167 બાળકોને લક્ષ્યાંક મુજબ આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ (કળમિનાશક દવા)ખવડાવવામાં આવશે.
1 થી 5 વર્ષના તમામ બાળકોને તા. તા. 10-02-2022 થી થી 31-03-2022 દરમિયાન લક્ષ્યાંક મુજબ કુલ 1.50 લાખ બાળકોને વિટામીન-એ ના ડોઝ પીવડાવામાં આવશે. બાળકોમાં સંપૂર્ણ શારીરીક અને માનસિક વિકાસ સારી રીતે થાય તે માટે કળમિનાશક દવા તથા વિટામીન-એ તમામ બાળકોને આપવી ખૂબ જ જરૂરી છે.
રાષ્ટ્રીય કળમિનાશક દિવસ ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ નાગરિકોને સાથ સહકાર આપવા તથા તમામ જરૂરિયાતમંદ લોકો સુધી સંદેશ પહોચાડવા જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

vartmanpravah

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

vartmanpravah

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

Leave a Comment