April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

કોઈપણ મોટામાં મોટો અધિકારી કે નાનામાં નાનો કર્મચારી અથવા ચૂંટાયેલા લોક પ્રતિનિધિ દ્વારા પણ લાંચ મંગાતી હોય તો જાણકારી આપવા સીબીઆઈના એસ.પી. રાજેશ કુમારે કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ-સેલવાસ, તા.26
આજથી દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈના બે દિવસના જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ મોટી દમણના ઢોલર વીઆઈપી સરકિટ હાઉસ અને સેલવાસ ખાતે દમણગંગા સરકિટ હાઉસ ખાતે થયો છે.
આજે દમણ ખાતે સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખાના એસ.પી. રાજેશ કુમારે પત્રકારો સાથે વાતચીત કરતાજણાવ્‍યું હતું કે, અહીંના લોકોને સીબીઆઈની ઓફિસ મુંબઈ ખાતે હોવાથી દૂર પડે છે અને ત્‍યાં સુધી જઈને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. તેથી સીબીઆઈએ લોકો પાસે પહોંચવાની પહેલ કરી છે. જેની કડીમાં આ બે દિવસના કેમ્‍પનું આયોજન કરાયું છે અને અગામી બે સપ્તાહ બાદ ફરીથી આ પ્રકારના કેમ્‍પનું આયોજન કરનારા હોવાની પણ માહિતી આપી હતી.
સીબીઆઈના એસ.પી. શ્રી રાજેશ કુમારે જણાવ્‍યું હતું કે, મોટામાં મોટો સિનિયર અધિકારી હોય કે જુનિયર અધિકારી હોય અને લાંચ માંગતો હોય તો તેની જાણકારી આપવા અપીલ કરી છે અને પોતાની જ્ઞાત આવકના સાધનો કરતા વધુ સંપત્તિ ભેગી કરી હોય એવા અધિકારીની અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની પણ જાણકારી આપવા જણાવાયું છે.

Related posts

વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાંસદ ધવલ પટેલનું કરાયું સન્‍માન

vartmanpravah

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

નાની દમણના દેવકા નમો પથના સમુદ્ર કિનારે અજાણ્‍યા શખ્‍સની મળેલી સંદિગ્‍ધ લાશ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment