January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

કોઈપણ મોટામાં મોટો અધિકારી કે નાનામાં નાનો કર્મચારી અથવા ચૂંટાયેલા લોક પ્રતિનિધિ દ્વારા પણ લાંચ મંગાતી હોય તો જાણકારી આપવા સીબીઆઈના એસ.પી. રાજેશ કુમારે કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ-સેલવાસ, તા.26
આજથી દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈના બે દિવસના જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ મોટી દમણના ઢોલર વીઆઈપી સરકિટ હાઉસ અને સેલવાસ ખાતે દમણગંગા સરકિટ હાઉસ ખાતે થયો છે.
આજે દમણ ખાતે સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખાના એસ.પી. રાજેશ કુમારે પત્રકારો સાથે વાતચીત કરતાજણાવ્‍યું હતું કે, અહીંના લોકોને સીબીઆઈની ઓફિસ મુંબઈ ખાતે હોવાથી દૂર પડે છે અને ત્‍યાં સુધી જઈને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. તેથી સીબીઆઈએ લોકો પાસે પહોંચવાની પહેલ કરી છે. જેની કડીમાં આ બે દિવસના કેમ્‍પનું આયોજન કરાયું છે અને અગામી બે સપ્તાહ બાદ ફરીથી આ પ્રકારના કેમ્‍પનું આયોજન કરનારા હોવાની પણ માહિતી આપી હતી.
સીબીઆઈના એસ.પી. શ્રી રાજેશ કુમારે જણાવ્‍યું હતું કે, મોટામાં મોટો સિનિયર અધિકારી હોય કે જુનિયર અધિકારી હોય અને લાંચ માંગતો હોય તો તેની જાણકારી આપવા અપીલ કરી છે અને પોતાની જ્ઞાત આવકના સાધનો કરતા વધુ સંપત્તિ ભેગી કરી હોય એવા અધિકારીની અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની પણ જાણકારી આપવા જણાવાયું છે.

Related posts

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

vartmanpravah

વાપી ચણોદ નિલકંઠ સોસાયટીના બંધ બંગલામાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોરી થયાનું બહાર પડયું

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના પ્રાધ્‍યાપક ભરત દીક્ષિત પીએચડી થયા

vartmanpravah

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

vartmanpravah

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment