(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 24મી જાન્યુઆરીથી શરૂ કરવામા આવેલ સ્વચ્છતા અભિયાન દ્વારા પ્રદેશને કાયમી ધોરણે સ્વચ્છ રાખવાનું અભિયાન શરુ કરવામા આવેલ છે જે સંદર્ભે દરેક ગ્રામ પંચાયતોના જિલ્લા પંચાયત સભ્યો, સરપંચ અને સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનમાં પોતાનુ શ્રમદાન આપી અભિયાનમા જોડાયા હતા.
રૂદાના પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમા સ્વચ્છતા અભિયાનહાથ ધરવામા આવ્યુ હતુ. આ અભિયાનમાં પ્રશાસન દ્વારા આપવામા આવેલ દિશાનિર્દેશ અનુસાર સવાર અને સાંજ પોતાના વિસ્તારોમાં સફાઈ કામદારો દ્વારા કરવામા આવતી સફાઈનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે.
Next Post