Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: રવિવારે છરવાડા સ્‍થિથ મંજુબેન દાયમા મેમોરિયલ સંસ્‍કાર વિદ્યાપીઠમાં ઉર્મિલ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ તથા ઉર્મિલ દેસાઈ હોસ્‍પિટલ અને એ ટુ ઝેડ પોલિસી ડોટકોમના સંયુક્‍ત ઉપક્રમે મેગા સ્‍વાસ્‍થ્‍ય શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શિબિરમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો.
સવારે 10 વાગે પ્રારંભ થયેલી શિબિરનો શુભારંભ ઉર્મિલ હોસ્‍પિટલના નિર્દેશક ડો.વિનિત શાહ, ડો.નિરવ શાહ, સંસ્‍કાર વિદ્યાપીઠના પ્રમુખ બી.કે. દાયમા તથા એ ટુ ઝેડ પોલિસી ડોટકોમના સીઈઓ રાહુલ શર્માએ દિપ પ્રાગટય કરી કર્યો હતો. સ્‍પેશ્‍યાલીસ્‍ટ તબીબોએ બી.પી., ડાયાબિટીસ, થાઈરોઈડ, કોલેસ્‍ટોરલ, દાંત, આંખની બિમારીઓની તપાસ કરી હતી. નિઃશુલ્‍ક તપાસ સાથે જરૂરીયાતમંદ આંખના દર્દીઓને મફત ચશ્‍મા વિતરણ કરવામાં આવ્‍યું હતું. શિબિર સંયોજક રાહુલ શર્મા, ઉર્મિલ હોસ્‍પિટલ મહાવિર ડેન્‍ટલ હોસ્‍પિટલનો સ્‍કૂલ પ્રશાસિકા સુનિતા વ્‍યાસએ આભાર પ્રગટ કર્યો હતો. આગળના સમયમાં પણ વિવિધ સેવાકીય કામગીરી ચાલુ રહેશે.

Related posts

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment