July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: રવિવારે છરવાડા સ્‍થિથ મંજુબેન દાયમા મેમોરિયલ સંસ્‍કાર વિદ્યાપીઠમાં ઉર્મિલ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ તથા ઉર્મિલ દેસાઈ હોસ્‍પિટલ અને એ ટુ ઝેડ પોલિસી ડોટકોમના સંયુક્‍ત ઉપક્રમે મેગા સ્‍વાસ્‍થ્‍ય શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શિબિરમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો.
સવારે 10 વાગે પ્રારંભ થયેલી શિબિરનો શુભારંભ ઉર્મિલ હોસ્‍પિટલના નિર્દેશક ડો.વિનિત શાહ, ડો.નિરવ શાહ, સંસ્‍કાર વિદ્યાપીઠના પ્રમુખ બી.કે. દાયમા તથા એ ટુ ઝેડ પોલિસી ડોટકોમના સીઈઓ રાહુલ શર્માએ દિપ પ્રાગટય કરી કર્યો હતો. સ્‍પેશ્‍યાલીસ્‍ટ તબીબોએ બી.પી., ડાયાબિટીસ, થાઈરોઈડ, કોલેસ્‍ટોરલ, દાંત, આંખની બિમારીઓની તપાસ કરી હતી. નિઃશુલ્‍ક તપાસ સાથે જરૂરીયાતમંદ આંખના દર્દીઓને મફત ચશ્‍મા વિતરણ કરવામાં આવ્‍યું હતું. શિબિર સંયોજક રાહુલ શર્મા, ઉર્મિલ હોસ્‍પિટલ મહાવિર ડેન્‍ટલ હોસ્‍પિટલનો સ્‍કૂલ પ્રશાસિકા સુનિતા વ્‍યાસએ આભાર પ્રગટ કર્યો હતો. આગળના સમયમાં પણ વિવિધ સેવાકીય કામગીરી ચાલુ રહેશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

vartmanpravah

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment