April 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈનની જુગલ જોડી દાનહ પોલીસના ટ્રાફિક તથા એલસીબી તરફ પણ પોતાનું ધ્‍યાન કેન્‍દ્રીત કરે એવી પ્રબળ બનેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી શ્રી હરેશ્વર સ્‍વામી અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈને લીધેલી આકસ્‍મિક મુલાકાત દરમિયાન પોતાના કાર્યમાં લાપરવાહી દાખવનાર હેડ કોન્‍સ્‍ટેબલ રવિન્‍દ્ર રાયને તાત્‍કાલિક બરતરફ કરવાનો આદેશ જારી કરતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ ફેલાય જવા પામ્‍યો છે અને એસપીઅને એસડીપીઓની જુગલ જોડી દાનહ પોલીસના ટ્રાફિક તથા એલસીબી તરફ પણ પોતાનું ધ્‍યાન લગાવે એવી માંગ પ્રબળ બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈને સેલવાસ પોલીસ સ્‍ટેશનની લીધેલી આકસ્‍મિક મુલાકાત દરમિયાન ફરજ ઉપરના હાજર હેડ કોન્‍સ્‍ટેબલ રવિન્‍દ્ર રાયની લાપરવાહી સામે આવતા તેમને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જારી કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, દાનહના પોલીસ બેડામાં એવા ઘણા અધિકારી અને પોલીસકર્મીઓ છે કે જેઓ જનતાને આરોપી સમજી તેમની સાથે તે પ્રકારનું વર્તન કરતા રહે છે. એસ.પી.શ્રી હરેશ્વર સ્‍વામી આ બાબતે પણ યોગ્‍ય કાર્યવાહી કરી પોલીસની બગડી રહેલી છાપને સુધારવા પ્રબંધ કરે એવી માંગ પણ ઉઠી રહી છે.

Related posts

નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણની પ્રથમ બેચે ફેશન મેનેજમેન્‍ટમાં માસ્‍ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી: ‘બોટમ લાઇન-2024‘માં ફેશન સ્‍નાતકોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

નાની દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવાતા પતંગોથી પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment