October 15, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ જીલ્લામાં ખોડીયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે દર વર્ષ આ દરેક મંદિરોમાં ખોડિયાર જયંતિનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે, જે અંતર્ગત આજે દીવ ના વણાંકબારા ખાતે ખોડિયાર મંદિર પર કળશ યાત્રા, હવન, ભજન કીર્તન, આરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં બહોળી સંખ્‍યામાં ભાવિ ભક્‍તોએ ભાગ લીધો અને ખોડિયાર માતાજીના આશીર્વાદ લીધા, તેજ રીતે દીવ ના દગાચી ખાતે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન થયું. દગાચી ખોડિયાર મંદિર એ પણ હવન, ધ્‍વજારોહણ, મહાપ્રસાદ, મહાઆરતી વગેરેનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રધ્‍ધાળુઓએ ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો, આજરોજ દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.

Related posts

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment