April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ નામની સોના- ચાંદીની દુકાનમાં આજરોજ સાંજના 4.00 કલાકના અરસામાં કાળાસર્ટ પહરેલ બે લૂંટારું ત્રાટકયા હતા. અને દુકાનના માલિક અભય ઇન્‍દુલકર પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્‍યારબાદ દુકાનમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરી ભાગી છૂટયા હતા.
લૂંટની ઘટના બાદ ઘાયલમનના માલિક દુકાનની બહાર આવી બૂમાબૂમ કરતા આજુબાજુની લોકો દોડી આવ્‍યા હતા. ઘટનાની જાણ તાત્‍કાલિક પોલીસ સ્‍ટેશનને થતા સ્‍થાનિક પોલીસ તંત્ર ઘટનાસ્‍થળે ઘસી આવી લૂંટારુંઓ પગેરું શોધવાની કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનાની જાણથી વલસાડ એલસીબીની ટીમ પણ ઘટના સ્‍થળે દોડી આવી હતી. લૂંટારૂઓને ઝડપી પાડવા તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને ઉમરગામ ટાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલ દુકાનના માલિક અભય ઇન્‍દુલકરને સારવાર અર્થે ઉમરગામની હોસ્‍પિટલ બાદ વધુ સારવાર અર્થે વાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 200 દિવસ પૂર્ણઃ વાયદાઓ ઠેરના ઠેર

vartmanpravah

Leave a Comment