Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ નામની સોના- ચાંદીની દુકાનમાં આજરોજ સાંજના 4.00 કલાકના અરસામાં કાળાસર્ટ પહરેલ બે લૂંટારું ત્રાટકયા હતા. અને દુકાનના માલિક અભય ઇન્‍દુલકર પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્‍યારબાદ દુકાનમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરી ભાગી છૂટયા હતા.
લૂંટની ઘટના બાદ ઘાયલમનના માલિક દુકાનની બહાર આવી બૂમાબૂમ કરતા આજુબાજુની લોકો દોડી આવ્‍યા હતા. ઘટનાની જાણ તાત્‍કાલિક પોલીસ સ્‍ટેશનને થતા સ્‍થાનિક પોલીસ તંત્ર ઘટનાસ્‍થળે ઘસી આવી લૂંટારુંઓ પગેરું શોધવાની કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનાની જાણથી વલસાડ એલસીબીની ટીમ પણ ઘટના સ્‍થળે દોડી આવી હતી. લૂંટારૂઓને ઝડપી પાડવા તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને ઉમરગામ ટાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલ દુકાનના માલિક અભય ઇન્‍દુલકરને સારવાર અર્થે ઉમરગામની હોસ્‍પિટલ બાદ વધુ સારવાર અર્થે વાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

સેલવાસની લુબસ્‍ટાર લુબ્રિકાન્‍ત પ્રા.લી. કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

Leave a Comment