April 20, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીની સમાજસેવી સંસ્‍થા સ્‍વદેશ ફાઉન્‍ડેશનના પ્રમુખ અને સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર 14ના સભ્‍ય શ્રી કિશનસિંહ પરમાર અને એમની ટીમ દ્વારા દૂધની નિવાસી સુનિલ ખંજોડિયા દ્વારા નિર્મિત એલઇડી બલ્‍બ વોર્ડ નંબર 14ના ગરીબ આદિવાસી લોકોને મફતમાં વિતરણ કરવામા આવ્‍યા હતા.
સંસ્‍થાનો ઉદેશ્‍ય સ્‍વરોજગાર અને આત્‍મનિર્ભર ભારતને પ્રોત્‍સાહન આપવાનો છે અને આપણાપ્રદેશના સુનિલ ખાનજોડીયા જેવા સાહસી યુવા આદિવાસી ભાઈની મહેનતને આર્થિક સહયોગ કરવાનો છે.
સંસ્‍થા દ્વારા એ પણ સંદેશો આપવામા આવ્‍યો છે કે આપણે દરેક સ્‍વદેશી વસ્‍તુઓનો ઉપયોગ કરે અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું સ્‍વપ્ન લોકલ ફોર વોકલને આપના પ્રકારના સહયોગથી સાકાર કરવા માટે બળ મળશે.

Related posts

સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

vartmanpravah

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

vartmanpravah

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્‍ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્‍ટ્રા બસો દોડાવાઈ

vartmanpravah

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment