April 20, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

પરિવાર લોનાવાલાથી લગ્ન પ્રસંગ પતાવી પરત આવી રહેલ : વાપી સ્‍ટેશને 49 હજારની મત્તાવાળુ પર્સ ચોરાઈ ગયુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16
વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિકંદરાબાદ એક્‍સપ્રેસ ટ્રેનમાં વડોદરાના પરિવારેમહિલાનું 49 હજારની મત્તા ભરેલ પર્સ ચોરાઈ ગયું હતું. વડોદરામાં પરિવારે ફરિયાદ નોધાવ્‍યા બાદ ફરિયાદ વાપી જી.આર.પી.ને મળતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
વડોદરા આર.વી.દેસાઈ રોડ જવાહર નગરમાં રહેતા સંજય જયંતિભાઈ લોનાવાલામાં લગ્ન પ્રસંગે ગયા હતા. પરિવાર સાથે વડોદરા જવા માટે સિકંદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્ય હતા. પરિવાર બર્થમાં સુતો હતો તે દરમિયાન પત્‍નીએ માથે રાખેલ પર્સ વાપી સ્‍ટેશન ઉપર કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હતો. પર્સમાં 14 હજાર રોકડા, બે મોબાઈલ, 49 હજાર રૂા.ની મત્તા હતી
પરિવારે વડોદરા પહોંચી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ વાપી રેલ્‍વે પોલીસમાં ટ્રાન્‍સફર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

લોકસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ: દાનહ સહિત પ્રદેશની ગરમ બનેલી રાજનીતિઃ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

Leave a Comment