October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18
ચીખલીતાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્‍ટરે તપાસ સોંપવામાં આવી છે.
ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના પ્રદેશ મહામંત્રી શ્રી પંકજભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટર અને સીએમ કાર્યાલય સહિત ઉચ્‍ચ કક્ષાએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે દેગામ ગામની હદ વિસ્‍તારના પનિયારી નદીના પટમાં દબાણ કરી સર્વે નંબર-1928માં વારી શ્રી ગોડીજી ફેક્‍ટરીના નામે સોલાર પેનલ યુનિટ સ્‍થાપેલ છે. જે યુનિટના કારણે આસપાસના ખેડૂતોને ખૂબ જ મુશ્‍કેલી પડી રહી છે.
આ કંપનીએ કરેલ દબાણના કારણે ચોમાસામાં પાણીનો ભરાવો આસપાસમાં ખેડૂતોની જમીનમાં થવાની સંભાવના છે.પાક અને જમીન ધોવાણની શકયતા છે અને આવી રીતે ગામના ખેડૂતો પાયમાલ બને તેમ છે.
કંપનીમાં સ્‍થાનિકોને કોઈપણ પ્રકારની રોજગારી આપવામાં આવતી નથી સ્‍થાનિક ગરીબ લોકો વધુ બેરોજગાર બનેલ છે. નિયમ વિરુદ્ધ બહારના કામદારો રાખી કંપનીના નિયમનો ભંગ કરી રહી છે.
હાલ કંપનીમાં જે કામદારો બહારથી લાવવામાં આવેલ છે.તેની પાસે 12-કલાક કરતા વધુ સમય કામ કરાવવામાં આવે છે.અને 8-કલાક કરતાં વધુ કામ કરવામાંઆવે તો ઓવરટાઈમના નિયમ મુજબ વેતન આપવું જોઈએ.
ઉપરોક્‍ત માંગણી ન સંતોષાય તો કંપનીના ગેટ પાસે સત્‍યાગ્રહ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્‍ચારાઇ હતી. જેમાં સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેકટરને અરજદારશ્રીઓની રજૂઆત પરત્‍વે સત્‍વરે નિયમોનુસાર યોગ્‍ય કાર્યવાહી હાથ ધરી ન્‍યાયી ઉકેલ લાવવા અને સત્‍યાગ્રહ બાબતે તકેદારીના પગલાં લઇ ઘટતી કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્‍યો છે.

Related posts

દાદરાની એક કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટર ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

મોદી સરકારના 10 વર્ષના એક દાયકામાં દાનહ અને દમણ-દીવે સલામત બનાવેલું પોતાનું 30 વર્ષનું ભવિષ્‍ય

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્‍થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાયો

vartmanpravah

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment