Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્‍નીની હત્‍યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 23
દમણ કોર્ટમાં અઢી વર્ષથી ચાલી રહેલા એક કેસની સુનાવણી આજે કરતા જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રી પી.કે.ર્શાએ આરોપી ઉમેશ દીપક હળપતિને દોષિત જાહેર કરી પાંચ વર્ષની સજા અને રૂા.રપ હજારની સજા સંભાળવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરેખાબેન ઉમેશ હળપતિ (ઉ.વ.36, રહે. દુણેઠા)એ નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ ઉમેશ દીપક હળપતિએ ધારદાર કટરથી તેના ચહેરા ઉપર અને માથાના ભાગે હુમલો કરી તેની હત્‍યા કરવાની કોશિષ કરી હતી. પોલીસ મહિલાની ફરિયાદના આધારે ભારતીય દંડની કલમ 307 અને326ના આધારે ગુનો દાખલ કરી 11 મે, ર019ના રોજ ઉમેશ દીપક હળપતિની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ઘટના સ્‍થળેથી ઉપયોગમાં આરોપીએ ઉપયોગમાં લીધેલ લોહીથી ખરડાયેલું કટર કબ્‍જેકર્યુ હતું. કટરને તપાસ માટે ફોરેંન્‍સિલ લેબમાં મોકલવામાં આવ્‍યું હતું. ફોરેન્‍સિલ લેબના રિપોર્ટ મુજબ સ્‍પષ્‍ટ થઈ થયું હતું કે ફરિયાદી સુરેખાબેનનું જ લોહી છે. જેના આધારે નાની દમણ પોલીસ મથક પ્રભારી શ્રી સોહિલ જીવાણીના નેતૃત્‍વમાં તપાસ અધિકારી શ્રી પીએસઆઈ રાજેન્‍દ્ર પાંડેએ ઘટનાની તપાસ કરી 18મી જુલાઈ, ર019ના રોજ દમણ કોર્ટમાં આરોપ પત્ર રજૂ કર્યો હતો.
જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રી પી.કે.શર્માએ બુધવારે ઘટનાની સુનાવણી કરતા પુરાવાઓ અને 6 સાક્ષીઓને સાંભળ્‍યા બાદ આરોપી દિપક હળપતિને દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલ અને રૂા.રપ હજારના દંડની સજા સંભાળવી છે. આ ઘટનામાં સરકારી વકીલ શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે જોરદાર પેરવી કરી હતી.

Related posts

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા રથને રવાના કરાયો

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

દમણથી ગીર સોમનાથ દારૂ હેરાફેરી કરતી કારને પારડી હાઈવેથી એલસીબીએ ઝડપી

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

Leave a Comment