October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

દહાણુ-પાલઘર વિસ્‍તારની સગીરા અંજની માતા-પિતાએ ઠપકો આપતા ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: દહાણુ-પાલઘર વિસ્‍તારમાં આવેલ વાણગામની 16 વર્ષિય સગીરા માતા-પિતાએ ઘરકામ અંગે ઠપકો આપતા માઠું લાગતા સગીરા કોઈને પણ જાણ કર્યા સિવાય ઘરેથી નિકળી ગઈ હતી. વલસાડ રેલવે સ્‍ટેશનેથી જી.આર.પી.ને સગીરા મળી આવી હતી. માતા-પિતાને જાણ કરી જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો હતો.
વિગતો મુજબ દહાણુ-પાલઘર વિસ્‍તારમાં આવેલ વાણગામમાં રહેતા દિનેશભાઈ કેશુભાઈ નામા અને તેમની પત્‍ની સવિતા અને પૂત્ર રોહીત અને પૂત્રી અંજની રહે છે. માતા-પિતા બન્ને નોકરી કરે છે. ઘરકામ અંગે માતાએ 16 વર્ષિય પૂત્રી અંજલી જે જે.એમ.ટી. સ્‍કૂલમાં ધો.10માં અભ્‍યાસ કરે છે તેને ઠપકો આપતા અંજલીને માઠું લાગી આવ્‍યું હતું તેથી ઘરમાં કોઈને કહ્યા વગર બપોરે ઘરેથી નિકળી ટ્રેન દ્વારા વલસાડ સ્‍ટેશને આવી પહોંચી હતી. સ્‍ટેશન ઉપર ફરજ બજાવતા જી.આર.પી. હેડ કોન્‍સ્‍ટેબલ રવિન્‍દ્રભાઈને અંજલી મળી આવી હતીતેથી પૂછપરછ કરી માહિતી મેળવીને માતા-પિતાને વાણગામે સંપર્ક કર્યો હતો. માતા-પિતા વલસાડ સ્‍ટેશને દોડી આવ્‍યા હતા ને પૂત્રી અંજલી સાથે પોલીસે મેળાપ કરાવી આપ્‍યો હતો.

Related posts

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

દમણ-દીવના ઉદ્યોગોના નવજીવન માટે 50 ટકા જી.એસ.ટી. માફ કરવા સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

Leave a Comment