June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

દેશના ઈતિહાસમાં પહેલી વખત અનુ.જનજાતિને મળનારી રાષ્‍ટ્રપતિ બનવાની તક

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યોને પણ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પ્રસ્‍તાવ પસાર કરવા જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે આપેલો નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દેશના રાષ્‍ટ્રપતિ તરીકે એનડીએ દ્વારા શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને દાનહ જનતા દળ(યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે આવકારી છે અને શુભકામના આપી છે.
શ્રી ધર્મેશસિંહ ચૌહાણે જણાવ્‍યું છે કે, દેશની સ્‍વતંત્રતા બાદ પહેલી વખત જનજાતિ સમાજને દેશના સર્વોચ્‍ચ બંધારણીય પદ ઉપર એનડીએ દ્વારા પસંદગી કરવામાં આવી છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુનો અનુભવ, તેમની સંવેદનશીલતા અને સેવાની ભાવના તેમનેરાષ્‍ટ્રપતિ માટે યોગ્‍ય ઉમેદવાર બનાવે છે.
દાદરા નગર હવેલી આદિવાસી બહુમતિ વિસ્‍તાર હોવાથી અહીંની તમામ જનતા પણ ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને વધાવે છે.
દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે દાનહ જિ.પં.ના સભ્‍યોને રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પ્રસ્‍તાવ પસાર કરવા પણ નિર્દેશ આપ્‍યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

Related posts

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

ધરમપુર નગરીયા વિસ્‍તાર રોડના ખાડા પુરવા આવેલ પાલિકાના ટ્રેક્‍ટર અને જેસીબી પણ ખાડામાં

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નવા વકીલોને આપવામાં આવેલીતાલીમ

vartmanpravah

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

Leave a Comment