January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

દેશના ઈતિહાસમાં પહેલી વખત અનુ.જનજાતિને મળનારી રાષ્‍ટ્રપતિ બનવાની તક

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યોને પણ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પ્રસ્‍તાવ પસાર કરવા જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે આપેલો નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દેશના રાષ્‍ટ્રપતિ તરીકે એનડીએ દ્વારા શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને દાનહ જનતા દળ(યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે આવકારી છે અને શુભકામના આપી છે.
શ્રી ધર્મેશસિંહ ચૌહાણે જણાવ્‍યું છે કે, દેશની સ્‍વતંત્રતા બાદ પહેલી વખત જનજાતિ સમાજને દેશના સર્વોચ્‍ચ બંધારણીય પદ ઉપર એનડીએ દ્વારા પસંદગી કરવામાં આવી છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુનો અનુભવ, તેમની સંવેદનશીલતા અને સેવાની ભાવના તેમનેરાષ્‍ટ્રપતિ માટે યોગ્‍ય ઉમેદવાર બનાવે છે.
દાદરા નગર હવેલી આદિવાસી બહુમતિ વિસ્‍તાર હોવાથી અહીંની તમામ જનતા પણ ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને વધાવે છે.
દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે દાનહ જિ.પં.ના સભ્‍યોને રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પ્રસ્‍તાવ પસાર કરવા પણ નિર્દેશ આપ્‍યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

Related posts

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોની વર્ષોની માંગ સંતોષાઈ- વાપીમાં હમસફર અને સૂર્યનગરી એક્‍સપ્રેસના સ્‍ટોપેજને મળેલી લીલીઝંડી

vartmanpravah

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

Leave a Comment