તસવીર અહેવાલ દીપક સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.28
પ્રાપ્ત માહિતી અનુસાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. ત્યારે સોલધરા ગામના શામળ ફળીયામાં રહેતા ભીખુભાઈ સોમાભાઈ આહીરના કોઢારામાં રવિવારની રાત્રીના સમયે દીપડાએ એક બકરો અને એક બકરીને ખેંચી જઈ ફાડી ખાતા ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ બારોટ સહિતના આગેવાનોએ સ્થળની મુલાકાત લઈ બનાવ અંગેની જાણ સોલધરા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા ચીખલી વન વિભાગ દ્વારા પંચક્યાસ કરી પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.
જોકે બે દિવસ પૂર્વે પણ તાલુકાના સાદડવેલ અને સાદકપોર-ગોલવાડ ખાતે પણ દીપડાએ એક બકરી અને વાછરડાનો શિકાર કર્યો હતો. ત્યારે તાલુકામાં દીપડાની અવર જવર વધી જવા પામી છે અને લોકોમાં પણ ભયનો માહોલ પેદા થયો છે.