Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

સુખાલા માઝપાડા ફળીયામાં રહેતી શીતલબેન પટેલ 30 ઓગસ્‍ટે
રાખડી માટે પિયર જવા નિકળ્‍યા બાદ ગુમ થઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા તા.ના સુખાલા ગામે માઝ ફળીયામાં રહેતી પરણિતા તેની ચાર વર્ષની પૂત્રીને લઈ ગત તા.30-8-2023ના રોજ ઘરેથી પિયર રક્ષાબંધન કરવા જાઉ છું કહી નિકળી હતી. ત્‍યારબાદ 15 દિવસે રાજસ્‍થાનમાં ફરી ઘરે પાછી ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સુખાલા માઝ ફળીયામાં રહેતી શીતલબેન પટેલ ઉ.વ.20 તેની ચાર વર્ષની પૂત્રી વૃત્તિકાને લઈ ઘરે ગત તા.30 ઓગસ્‍ટના રોજ પિયર ચીવલ પટેલ ફળીયા જવા નિકળી હતી. ત્‍યારબાદ શીતલપિયરથી તા.02-09-2023ના રોજ સાસરે જાઉ છું કહી પિયરથી નિકળી હતી પરંતુ સાસરે પહોંચી નહોતી. તે સાસરે નહી પણ રાજસ્‍થાન ફરવા નિકળી ગઈ હતી અને 15 દિવસ પછી રાજસ્‍થાન ફરીને શીતલ સાસરે પરત આવી હતી તેથી પારડી પોલીસે નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

vartmanpravah

સામરવરણીમાં 14વર્ષીય તરુણીએ ગળે ફાંસો ખાઈ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

Leave a Comment