September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારી દ્વારા આજે ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના કાર્યક્રમમાં પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારની મહિલા પી.એસ.આઈ. શ્રીમતી હિરલબેન પટેલનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શાળા કેમ્‍પસમાં આયોજીત કાર્યક્રમમાં પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પુષ્‍પા રાઠોડે જણાવ્‍યું હતું કે, આપણા દરેકના ઘરના ઉંબરે ચાર દેવીઓનું નિવાસ સ્‍થાન હોય છે. જે માતા, બહેન, પત્‍નિ અને દિકરીના સ્‍વરૂપમાં હોય છે. જેનું સન્‍માન કરવામાં આવે તો ડુંગર ઉપર બિરાજમાન દેવીને ચુંદડી ચઢાવવાની જરૂરીયાત હોતી નથી. પરંતુ જો આ ચાર દેવીઓનું ઘરમા સન્‍માન નહી કરવામાં આવે, તો ડુંગર ઉપર બિરાજમાન દેવી પણ તે ચુંદડીનો સ્‍વીકાર કરતી નથી. તેથી તેમણે દરેક મહિલાઓનો આદર કરવા શિખામણ આપી હતી અને પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારના પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલ આપણુંગૌરવ હોવાનું પણ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, હવે કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જ્‍યાં મહિલાઓ નહી પહોંચી હોય. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીનીઓને અભ્‍યાસની સાથે સાથે રમતગમત અને પોતાની તંદુરસ્‍તીનું પણ ધ્‍યાન રાખવા સમજણ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ શાળામાં ભણી હું પી.એસ.આઈ. સુધી પહોંચી છું. ત્‍યારે આ શાળાની કોઈ વિદ્યાર્થીની આઈ.પી.એસ. સુધી પહોંચે એવી તેમણે કામના કરી હતી.
આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ વિરાંગના મહિલાઓના પાત્રની ભૂમિકા પણ ખુબજ સફળતાપૂર્વક ભજવી હતી.
આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી ડિમ્‍પલબેન જી.પટેલે ખુબ જ કુશળતાથી કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પુષ્‍પા રાઠોડના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા શ્રીમતી નૈનિતા દમણિયા, શ્રીમતી તેજલ માહ્યાવંશી, શ્રીમતી ડિનલ પટેલ અને શ્રી અનિલભાઈ અહિરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

પતિ પત્‍ની વચ્‍ચેના સામાન્‍ય ઝઘડામાં સામરપાળાના 50 વર્ષીય આધેડે ઘર છોડ્‍યું : દસ દિવસ પછી પણ પિતા મળી ન આવતા પુત્રએ નોંધાવી ગુમ થયાની ફરિયાદ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

દાનહ ભારતીય જનતા યુવા મોરચા શહેર પ્રમુખે 300 યુવાઓને ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ મફત બતાવી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

Leave a Comment