October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: મોડી રાત્રિએ સેલવાસથી વાપી તરફ જઈ રહેલ ડસ્‍ટર કારના ચાલકે રસ્‍તા પર બેસેલ ગાયને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્‍ત ગાયને સારવાર અર્થે ડોકમરડી પશુ દવાખાને લઈ જવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસથી વાપી તરફ મોડી રાત્રે જઈ રહેલ ડસ્‍ટર કારના ચાલકે પીપરીયા પુલ પર રસ્‍તાની સાઈડ પર બેસેલ ગાયને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાને જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને ગૌરક્ષકોને ખબર મળતાં તેઓ પણ પહોંચી ગયા હતા. લોકોનું ટોળુ ભેગું થઈ જતા પીપરીયા પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. ત્‍યારબાદ ગૌરક્ષકોએ પશુએમ્‍બ્‍યુલન્‍સ બોલાવી ગાયને સારવાર અર્થે ડોકમરડી ખાતેના પશુ દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આ ઘટનાને જોતા ગૌરક્ષકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્‍યો હતો. બીજી તરફ એ પણ ચર્ચા કરવામાં આવી રહી હતી કે પશુપાલકો દ્વારા ગૌધનને ખુલ્લેઆમ છોડી દેવાને કારણે રાત્રી દરમ્‍યાન તેઓ રસ્‍તાઓની વચ્‍ચે જ બેસી જાય છે જેના કારણે જીવલેણ અકસ્‍માતો સર્જાતા હોય છે. જેથી સંઘપ્રદેશ પ્રશાસન આ બાબતે નક્કર પગલાં ભરવામાં આવે અને પશુઓને ખુલ્લામાં છોડી મુકતા પશુપાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Related posts

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસો.ની ટીમ દેશની પ્રતિષ્‍ઠિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા કોલ્‍હાપુર રવાના

vartmanpravah

Leave a Comment