Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: મોડી રાત્રિએ સેલવાસથી વાપી તરફ જઈ રહેલ ડસ્‍ટર કારના ચાલકે રસ્‍તા પર બેસેલ ગાયને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્‍ત ગાયને સારવાર અર્થે ડોકમરડી પશુ દવાખાને લઈ જવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસથી વાપી તરફ મોડી રાત્રે જઈ રહેલ ડસ્‍ટર કારના ચાલકે પીપરીયા પુલ પર રસ્‍તાની સાઈડ પર બેસેલ ગાયને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાને જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને ગૌરક્ષકોને ખબર મળતાં તેઓ પણ પહોંચી ગયા હતા. લોકોનું ટોળુ ભેગું થઈ જતા પીપરીયા પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. ત્‍યારબાદ ગૌરક્ષકોએ પશુએમ્‍બ્‍યુલન્‍સ બોલાવી ગાયને સારવાર અર્થે ડોકમરડી ખાતેના પશુ દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આ ઘટનાને જોતા ગૌરક્ષકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્‍યો હતો. બીજી તરફ એ પણ ચર્ચા કરવામાં આવી રહી હતી કે પશુપાલકો દ્વારા ગૌધનને ખુલ્લેઆમ છોડી દેવાને કારણે રાત્રી દરમ્‍યાન તેઓ રસ્‍તાઓની વચ્‍ચે જ બેસી જાય છે જેના કારણે જીવલેણ અકસ્‍માતો સર્જાતા હોય છે. જેથી સંઘપ્રદેશ પ્રશાસન આ બાબતે નક્કર પગલાં ભરવામાં આવે અને પશુઓને ખુલ્લામાં છોડી મુકતા પશુપાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Related posts

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

vartmanpravah

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

vartmanpravah

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

vartmanpravah

Leave a Comment