September 5, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: મોડી રાત્રિએ સેલવાસથી વાપી તરફ જઈ રહેલ ડસ્‍ટર કારના ચાલકે રસ્‍તા પર બેસેલ ગાયને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્‍ત ગાયને સારવાર અર્થે ડોકમરડી પશુ દવાખાને લઈ જવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસથી વાપી તરફ મોડી રાત્રે જઈ રહેલ ડસ્‍ટર કારના ચાલકે પીપરીયા પુલ પર રસ્‍તાની સાઈડ પર બેસેલ ગાયને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાને જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને ગૌરક્ષકોને ખબર મળતાં તેઓ પણ પહોંચી ગયા હતા. લોકોનું ટોળુ ભેગું થઈ જતા પીપરીયા પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. ત્‍યારબાદ ગૌરક્ષકોએ પશુએમ્‍બ્‍યુલન્‍સ બોલાવી ગાયને સારવાર અર્થે ડોકમરડી ખાતેના પશુ દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આ ઘટનાને જોતા ગૌરક્ષકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્‍યો હતો. બીજી તરફ એ પણ ચર્ચા કરવામાં આવી રહી હતી કે પશુપાલકો દ્વારા ગૌધનને ખુલ્લેઆમ છોડી દેવાને કારણે રાત્રી દરમ્‍યાન તેઓ રસ્‍તાઓની વચ્‍ચે જ બેસી જાય છે જેના કારણે જીવલેણ અકસ્‍માતો સર્જાતા હોય છે. જેથી સંઘપ્રદેશ પ્રશાસન આ બાબતે નક્કર પગલાં ભરવામાં આવે અને પશુઓને ખુલ્લામાં છોડી મુકતા પશુપાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Related posts

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

માતો ઠપકો આપતા વાપી નૂતનનગર મુરલીધર સોસાયટીમાં રહેતો 15 વર્ષિય કિશોર ઘરેથી ચાલી ગયો

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

Leave a Comment