સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના છેવાડેના લોકોના ઉત્થાન માટે થઈ રહેલા કામોની કરેલી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
સંઘપ્રદેશ દાનહના રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સુશીલાબેન ભીખુભાઈ ભીમરાએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના ધારાશાષાી પુત્ર શ્રી સન્ની ભીમરા પણ જોડાયા હતા.
અત્રે યાદ રહે કે, ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રીમતી સુશીલાબેનના પતિ ભીખુભાઈ ભીમરાનું અવસાન થયું હતું. સ્વ.ભીખુભાઈ ભીમરા આદિવાસી સમુદાયના સર્વમાન્ય નેતા હતા.
શ્રીમતી સુશીલાબેન ભીમરાએ દાદરા નગર હવેલી ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેવાડેના લોકોના જીવન પરિવર્તન માટે કરવામાં આવી રહેલા પ્રયાસની સરાહના કરી હતી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અભિનંદન પણ પાઠવ્યા હતા.