April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના છેવાડેના લોકોના ઉત્‍થાન માટે થઈ રહેલા કામોની કરેલી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
સંઘપ્રદેશ દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સુશીલાબેન ભીખુભાઈ ભીમરાએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના ધારાશાષાી પુત્ર શ્રી સન્ની ભીમરા પણ જોડાયા હતા.
અત્રે યાદ રહે કે, ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રીમતી સુશીલાબેનના પતિ ભીખુભાઈ ભીમરાનું અવસાન થયું હતું. સ્‍વ.ભીખુભાઈ ભીમરા આદિવાસી સમુદાયના સર્વમાન્‍ય નેતા હતા.
શ્રીમતી સુશીલાબેન ભીમરાએ દાદરા નગર હવેલી ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેવાડેના લોકોના જીવન પરિવર્તન માટે કરવામાં આવી રહેલા પ્રયાસની સરાહના કરી હતી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા જન્‍માષ્ટમી પર્વની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાની વિદ્યાર્થીની રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા યોજાઈ: નગર યોજના નં.1(વાપી)ને સરકારમાં સાદર કરવાની બહાલી

vartmanpravah

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

Leave a Comment