March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ કલેક્‍ટર કચેરીના ત્રીજા માળે ફૉલ સિલિંગ તૂટી પડીઃ સદ્‌નશીબેન કોઈને પણ ઈજા કે જાનહાનીની ઘટના ટળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની નવી કલેક્‍ટર કચેરીના એ-વિંગમાં ત્રીજા માળે સોશિયલ વેલ્‍ફેર વિભાગની કચેરીની ફૉલ સિલિંગ અચાનક તૂટીને નીચે પડી ગઈ હતી. જે સમયે આ ઘટના બની ત્‍યારે કોઈ જ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્‍થિત નહીં હતા. સવારે રાબેતા મુજબ એક કર્મચારીએ ઓફિસનો જેવો દરવાજો ખોલ્‍યો તેની સાથે છત ધડામ થઈને તૂટી પડી હતી. સદ્‌નશીબે કચેરીમાં કોઈ પણ વ્‍યક્‍તિ હાજર નહીં હોવાને કારણેકોઈને ઈજા થવાની કે જાનહાનીની ઘટના ટળી હતી. પરંતુ આ ઘટનાથી બાંધકામની ગુણવત્તા પર સવાલ જરૂર ઉભા થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવેલ સેલવાસ ખાતેની નવી કલેક્‍ટર કચેરીના ત્રીજા માળની ફૉલ સિલિંગ આજે સવારે ધડામ દઈને તૂટી પડી હતી. આ બિલ્‍ડિંગમાં ફર્નિચર સહિત બીજા કામો બાકી હોવાને કારણે જાન્‍યુઆરી 2024 પછી કલેક્‍ટર સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બેસતા થયા હતા. આ છતના નિર્માણને હજુ એક વર્ષ પણ નથી થયું ત્‍યા અચાનક તૂટી પડતાં ગુણવત્તા સામે ઘણાં સવાલો ઉભા થઈ છે.

Related posts

નવસારી એલસીબી પોલીસે મલવાડા ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ ઈનોવા સાથે એકની ધરપકડ કરી : રૂા.6.83 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah

Leave a Comment