August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવલસાડવાપીસેલવાસ

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

દાનહ સાયલીના પરિવારે હાથ ઉપરની જનોઈ જોઈને કિશોરની ઓળખ કરી : ગુનાનો ભેદ હજુ પણ વણઉકેલ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.04 : વાપી કરવડ ગામે દમણગંગા સિંચાઈની કેનાલમાંથી આશરે 10 વર્ષિય કિશોરની માથા અને એક પગ વગરની બે દિવસ પહેલાં લાશ મળી હતી. કેનાલ દાનહ અને ગુજરાત બન્ને પ્રદેશ વચ્‍ચે વહેતી હોવાથી બન્ને પ્રદેશની પોલીસે ચાંપતી સંયુક્‍ત તપાસ હાથ ધરી હતી. જેમાં ડુંગરા પોલીસે ડી.એન.એ. કરાવ્‍યા બાદ લાશનો ભેદ ઉકેલવાની સફળતા સાંપડી હતી.
વાપી-કરવડમાં બેદિવસ પહેલાં દમણગંગા નહેરના પાણીમાં તણાતી આવેલી એક આશરે 10 વર્ષિય કિશોરની લાશ મળી આવી હતી. લાશની સ્‍થિતિ કોઈને પણ હચમચાવી નાખે તેવી હતી. કારણ કે લાશનું માથું અને પગ હતો નહી તેથી બાળકની ક્રુર હત્‍યા કરી નહેરમાં ફેંકી દેવાયુ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્‍યું હતું. નહેર બન્ને પ્રદેશ ગુજરાત અને દાનહ વચ્‍ચે થઈને વહેતી હોવાથી બન્ને પ્રદેશની પોલીસ તપાસમાં દોડતી થઈ હતી. જેમાં ડુંગરા પોલીસે લાશને ડી.એન.એ ટેસ્‍ટ પણ કરાવ્‍યો હતો તો બીજી તરફ ઘટના અતિ પ્રકાશમાં આવી ગઈ હોવાથી દાનહ સાયલીનો પરિવાર આગળ આવ્‍યો હતો. તેમનું બાળક ગુન હતું તેની તપાસ ચાલુ હતી. પોલીસનો પરિવારે સંપર્ક કર્યો અને લાશના હાથ ઉપર બાંધેલ જનોઈને જોઈ બાળકની ઓળખ કરી હતી. જો કે આ રહસ્‍યમયી ઘટનાની તપાસ હજુ અધુરી જ છે કારણ કે બાળકની ક્રૂરહત્‍યાનો ભેદ ઉકેલવાની એક એક કડીની પોલીસ આગળની તપાસ કરી રહી છે. હાલ તો રહસ્‍ય વણઉકેલ્‍યું રહ્યું છે.

Related posts

પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આજે દમણ ન.પા.ના પ્રમુખ તરીકે પારસી સમુદાયના અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે આદિવાસી સમાજના રશ્‍મિ હળપતિ બિરાજમાન થશે

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરાયેલી નારિયેળી પૂર્ણિમાની ઉજવણીઃ માછી સમાજે દરિયાદેવની વિધિવત કરેલી પૂજા: માછીમારોની નવી મૌસમનો આરંભ

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment