April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ વિસ્‍તારમાંથી સગીર યુવતી અપહરણ કેસમાં પોસ્‍કો હેઠળ ધરપકડ કરાયેલ આરોપીના વાપી કોર્ટએ જામીન મંજુર કર્યા

આરોપી રાકેશ રામનિવાસ કુશવાની પોલીસે 31 માર્ચે યુપીથી ધરપકડ કરી જેલમાં મોકલી આપ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ઉમરગામ તાલુકામાં ગત તારીખ 25/2/ 2023 ના રોજ ભીલાડ પોલીસ સ્‍ટેશન ખાતે એક ફરિયાદ નોંધાય હતી. જેમાં ફરિયાદીએ જણાવ્‍યું હતું કે પોતાની સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને તેની સાથે લગ્નની લાલચ આપી બદ ઈરાદે રાકેશ રામનિવાસ કુશવા તેમના ઘરેથી અપરણ કરી ગયેલ આ માહિતી ભીલાડ પોલીસને મળતા ભીલાડ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
સગીર વયની યુવતીને લઈને ભાગેલા યુવાને અવારનવાર તેઓની સાથે શરીર સંબંધ બાંધેલ હોવાની વાત સામે આવી હતી જેથી પોલીસે ઈ.પી.કો. કલમ 363, 366, 376 (2) એન, તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ સને. 2012ની કલમ 3 (એ)/ 4/ 5 (એલ), 6 મુજબ ગુનો દાખલ કરેલ.
આ આરોપીને શોધવા માટે ભીલાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તારીખ 31/3 /2023 ના રોજ તેઓને ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાનામહ્મદાબાદ તાલુકામાંથી ઝડપી પાડેલ હતો અને ભીલાડ પોલીસ સ્‍ટેશનને લાવી તેમની ધરપકડ કરી વાપી નામદાર કોર્ટમાં તેઓને હાજર કરાયા હતા. બાદમાં તેઓને ભીલાડ પોલીસ વધુ તપાસ માટે લઈ ગયેલ અને તેઓને નવસારી સબ જેલ ખાતે જ્‍યુડિશ્‍યલ કસ્‍ટડીમાં મોકલી આપવામાં આવ્‍યો હતો.
ગત તારીખ 09 ના રોજ આરોપી રાકેશ કુશવાહા પર લાગેલા પોકસો, આઈ.પી.સી. જેવા વિવિધ પ્રકારના જધન્‍ય અપરાધોના ગુન્‍હાના કેશમાં ધારદાર દલીલો તથા અન્‍ય રાજ્‍યોના વિવિધ ચુકાદાઓ ટાંકીને આરોપીને જામીન મુક્‍ત કરાવવા માટે એડવોકેટ યોગેશ રાવલે ધારદાર દલીલ કરતા મેરબાન જજ સાહેબ દલીલો અને આધાર પુરાવાના આધારે પોસ્‍કોના આરોપીને જમીન મુક્‍ત કરેલ હતો.
ભીલાડ પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આરોપીએ એડવોકેટ યોગેશ રાવળને પોતાની હકીકત જણાવતા યોગેશ રાવલે વાપીની સેશન કોર્ટમાં જજશ્રી સાહેબ સામે ધારદાર દલીલો કરતા રાકેશ કુશવાને જામીન ઉપર મુક્‍ત કરવા માટે જજે હુકમ કર્યો હતો.

Related posts

દાનહમાં જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓને નથી પહોંપ્‍યો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો લાભ

vartmanpravah

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી ડો. રંજન અગ્રવાલે ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

vartmanpravah

અંકલાસમાં નિર્માણ થઈ રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયતની લાલ આંખ

vartmanpravah

Leave a Comment