Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.26/3/2022ના રોજ સવારે 9-00 કલાકે કપરાડા તાલુકાના ધોધડકુવા દુધ ઉત્‍પાદક સહકારી મંડળી, વિજય ફળિયું ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમમાં તેમજ સવારે 10-30 કલાકે ખૂંટલી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર આયોજિત ખેડૂત સંમેલનમાં હાજરી આપશે અને ત્‍યારબાદ અનુラકૂળતાએ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લેશે. મંત્રીશ્રી તા.27/3/2022ના રોજ બપોરે 1-00 કલાકે કોમ્‍યુનિટી હોલ, કોલેજ રોડ, કપરાડા ખાતે કપરાડા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા આયોજિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે સામાજિક શૈક્ષણિક સ્‍નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે, ત્‍યારબાદ અનુકૂળતાએ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઇ ગાંધીનગર જવા રવાના થશે.

Related posts

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશમાં કોવિડ-19ના રોકથામ માટે આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા તકેદારીના પગલાં ‘‘કોરોના કો હરાના હૈ દો ગજ દુરી, માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી”: ફરી ગુંજતો થયેલો મંત્ર

vartmanpravah

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

vartmanpravah

Leave a Comment