(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.25
ભીલાડ પોલીસ મથક દ્વારા અટકાયતમાં કરેલા વાહનને પાર્કિંગ કરવા માટે તલવાડા ખાતે નેશનલ હાઇવે નંબર 48 ની નજીક બનાવેલું યાર્ડમાં આજરોજ બપોરના અરસામાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની તીવ્રતા ઝડપભેર આગળ વધતા ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવે તે પહેલા 20 જેટલા વાહનો સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગયા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ભીલાડ પોલીસ મથકના પીએસઆઇ ભગવતસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર આગ પ્રથમ ફોરવીલ વાહનમાં લાગી હતી અને એફએસએલના રિપોર્ટ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
Previous post