Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ જુજવામાં જંગી જનસભા સંબોધી

ગુજરાતને બદનામ કરનારા લોકોને રાજ્‍યમાં કોઈ સ્‍થાન નહિ : વડાપ્રધાન મોદી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડના જુજવા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન જંગી મેદની જોઈ મોદીએ જણાવ્‍યું હતું કે, આ ગુજરાતની સિંહગર્જના છે, નરેન્‍દ્રના રેકોર્ડ તોડીને ભૂપેન્‍દ્રના રેકોર્ડ સર્જવાનું નક્કી કરી લીધું છે. આ ચૂંટણી ભાજપના ઉમેદવાર નહિ ગુજરાતની જનતા લડી રહી છે. હું તમારો સેવક છું એટલે જ 22 વર્ષથી પગવાળીને બઠો નથી. વિકસિત અને આત્‍મનિર્ભર ભારતના સપનાને સર કરવા આપણે વિકસિત અને આત્‍મનિર્ભર ગુજરાત બનાવવું જોઈએ. ગુજરાતનો જુવા રોજગાર માંગનાર નહિ રોજગાર આપનાર બની રહ્યો છે. હિન્‍દુસ્‍તાનમાં 80 હજાર સ્‍ટાર્ટઅપ છે જેમાં 14 હજાર માત્રને માત્ર ગુજરાતના યુવાનોએ ઉભા કર્યા છે. સભામાં મોબાઈલની ફલેશ લાઈટ શરૂ કરાવી વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદીએ કહ્યું કે, આ ભારતની પ્રગતિનો ચમકારો છે, મોબાઈલના ડેટા સૌથી સસ્‍તા ભારતમાં છે. કોંગ્રેસ સરકારના રાજમાં 1 જીબીના 300 હતા હવે મોદીના રાજમાં 10 રૂપિયા થયા છે. જે મોદી સરકારની નીતિઓના પરિણામ છે.
વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, મત માગવો એ મારૂ કર્તવ્‍ય. મત આપવો એ તમારુ કર્તવ્‍ય. વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતના વિકાસના મૂળમાં ગુજરાતનો નાગરિક છે. આગામી 25 વર્ષ ભારત માટે મહત્‍વપૂર્ણ છે. પહેલીવાર મતદાન કરનારા યુવાનોને મળવા આવ્‍યો છું. વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્‍યું કે, ગુજરાતમાં ટોળકી સક્રિય થઈ છે. જે ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનાથી ચેતતા રહેજો. ગુજરાતની છબિને દુનિયામાં ખરાબ કરવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતીઓ જ્‍યાં ગયા ત્‍યાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને ગુજરાતમાં જે આવ્‍યા તેને ગળે લગાડ્‍યા છે. પરંતુ, ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખવાનો જે લોકો પ્રયત્‍ન કરી રહ્યા છે તેને આપણે કોઈપણ ભોગે સ્‍વીકારી ન શકીએ. ગુજરાતને બદનામ કરવા વાળા તત્‍વોને ગુજરાતમાં કયારેય જગ્‍યા ન હોય શકે.
વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, વલસાડમાં અનેક જેટી બનશે અને વિકાસશ થશે, આદિવાસી ખેડૂતોને આધુનિકખેતી કરતા શીખવ્‍યું. વલસાડ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સહાય નીધિ હેઠળ 300 કરોડની સહાય આપી. માતા-બહેનોના સન્‍માનની ચિંતા ભાજપ સરકારે કરી. મુદ્રા યોજાના હેઠળ 70 ટકા લોન લેનારી માતાઓ બહેનો છે. સરકારે માતાઓ અને બહેનોના નામે મકાન આપવાની શરૂઆત કરી. હર ઘર નલ સે જલ અને દર ઘરમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું છે.

Related posts

પોતાના આદરણિય અને પ્રિય નેતા ભાજપપ્રભારી વિજ્‍યા રહાટકરના જન્‍મ દિવસની દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે સેવા સાધના સાથે કરેલી ઉજવણી

vartmanpravah

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment