(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં આ તેમની ત્રીજી મુલાકાત છે. લક્ષદ્વીપના વિકાસને નવી દિશા આપવામાટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આગ્રહી હોવાના કારણે તેઓ સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ તેના નિરીક્ષણ બાદ જરૂરી સુધારા-વધારા પણ કરી રહ્યા છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2022ના જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ પોતાની મુલાકાતનો દોર જાળવી રાખી લક્ષદ્વીપના લકને બદલવા કેન્દ્રિત કરેલા લક્ષ્યના દર્શન થાય છે.