March 4, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
આજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે દમણના પદ્મશ્રી ખિતાબના વિજેતા સમાજ સેવિકા શ્રીમતી પ્રભાબેન શાહને રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સહિત મંત્રીમંડળના વરિષ્‍ઠ મંત્રીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રીમતી પ્રભાબેન શાહે દમણ ખાતે મહિલાઓના ઉત્‍થાન માટે કરેલા વિવિધ પ્રયાસોની નોંધ લઈ ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે પસંદ કર્યા હતા. આજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે આયોજીત ભવ્‍ય સમારંભમાં શ્રીમતી પ્રભાબેન શાહ સહિત અન્‍ય પદ્મ પુરસ્‍કાર વિજેતાઓને રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા સન્‍માનિત કરાયા હતા.

Related posts

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

વલસાડ હાઈવે ડુંગરી બામ ખાડીમાં સુરતના પરિવારની કાર ખાબકી : રાત્રે બનેલી ઘટનાથી દોડધામ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહની અધ્યક્ષતામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી

vartmanpravah

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

Leave a Comment