(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28
આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે દમણના પદ્મશ્રી ખિતાબના વિજેતા સમાજ સેવિકા શ્રીમતી પ્રભાબેન શાહને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સહિત મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી પ્રભાબેન શાહે દમણ ખાતે મહિલાઓના ઉત્થાન માટે કરેલા વિવિધ પ્રયાસોની નોંધ લઈ ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કર્યા હતા. આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત ભવ્ય સમારંભમાં શ્રીમતી પ્રભાબેન શાહ સહિત અન્ય પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા સન્માનિત કરાયા હતા.