December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
આજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે દમણના પદ્મશ્રી ખિતાબના વિજેતા સમાજ સેવિકા શ્રીમતી પ્રભાબેન શાહને રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સહિત મંત્રીમંડળના વરિષ્‍ઠ મંત્રીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રીમતી પ્રભાબેન શાહે દમણ ખાતે મહિલાઓના ઉત્‍થાન માટે કરેલા વિવિધ પ્રયાસોની નોંધ લઈ ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે પસંદ કર્યા હતા. આજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે આયોજીત ભવ્‍ય સમારંભમાં શ્રીમતી પ્રભાબેન શાહ સહિત અન્‍ય પદ્મ પુરસ્‍કાર વિજેતાઓને રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા સન્‍માનિત કરાયા હતા.

Related posts

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

vartmanpravah

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્‍ય સભા સાથે હોલ અને જન વિશ્રામ કુટીરનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપી મેરેથોન યોજાઈ

vartmanpravah

Leave a Comment