October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
આજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે દમણના પદ્મશ્રી ખિતાબના વિજેતા સમાજ સેવિકા શ્રીમતી પ્રભાબેન શાહને રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સહિત મંત્રીમંડળના વરિષ્‍ઠ મંત્રીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રીમતી પ્રભાબેન શાહે દમણ ખાતે મહિલાઓના ઉત્‍થાન માટે કરેલા વિવિધ પ્રયાસોની નોંધ લઈ ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે પસંદ કર્યા હતા. આજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે આયોજીત ભવ્‍ય સમારંભમાં શ્રીમતી પ્રભાબેન શાહ સહિત અન્‍ય પદ્મ પુરસ્‍કાર વિજેતાઓને રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા સન્‍માનિત કરાયા હતા.

Related posts

વાપીના મહત્‍વાકાંક્ષી પાંચ પ્રોજેક્‍ટની કામગીરી ઠપ્‍પ: નજીકના ભવિષ્‍યમાં સમસ્‍યાઓના અંતની કોઈ વકી નથી

vartmanpravah

નંદીગ્રામ ખાતે ચાલી રહેલી કુમાર સંસ્‍કાર શિબિરની પૂર્ણાહુતિ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

Leave a Comment