March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

357મા પ્રકાશ વર્ષની ત્રિદિવસીય ઉજવણીમાં સવાર-સાંજ કિર્તન પ્રવાહ અને લંગરનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી સેલવાસ રોડ સ્‍થિત ગુરુદ્વારામાં ગુરુદ્વારા સમિતિ દ્વારા 357મા પ્રકાશ પર્વની ઉજવણીનો આજે મંગળવારે શુભારંભ કરાયો હતો. આ ઉજવણી તા.3, 4, 5 જાન્‍યુઆરી સુધી એમ ત્રિદિવસીય ચાલનારી છે.
ગુરુગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ગુરુગોવિંદજીના 357મા પ્રકાશ વર્ષની ઉજવણીનું આયોજન વાપી ગુરુદ્વારામાં કરવામાં આવ્‍યું છે. આ પર્વની બે ખુશી સાથે ઉજવણી થશે. 25 વર્ષ પહેલા નાના ગુરુદ્વારાની સ્‍થાપના કરાઈ હતી. વાપી સહિત વલસાડ જિલ્લા અને દમણ-સેલવાસની સંગતના અપુર્વ યોગદાન થકી ઈનોવેટ કરી ભવ્‍ય ગુરુદ્વારા (ગુરુઘર) બનાવાયું છે તેની લોકાર્પણ વેળા પણ આ ઉજવણીમાં સાંકળી લેવાઈ છે. ગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ત્રણ દિવસ ભજન-કિર્તન સવાર-સાંજ લંગરનું ભવ્‍ય આયોજન કરાયું છે તે માટે વિવિધ ગુરુવાણીના રાગી પધારેલા છે. તેઓ સવાર-સાંજ ભજન કિર્તન કરાવશે. કોઈપણ ભેદભાવ વગર સમાજના તમામ વર્ગને લંગર સહિત ભજન કિર્તનનો ત્રણ દિવસ લાભ લેવા જાહેર આમંત્રણ સમિતિ દ્વારા પાઠવાયું છે.

Related posts

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

ખેતીના સાધનોની દિનપ્રતિદિન વધતી ચોરી અટકાવવા ચીખલી મજીગામમાં સ્‍થાનિકોએ રાજ્‍યના ગૃહમંત્રી, ડીએસપીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

Leave a Comment