357મા પ્રકાશ વર્ષની ત્રિદિવસીય ઉજવણીમાં સવાર-સાંજ કિર્તન પ્રવાહ અને લંગરનું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી સેલવાસ રોડ સ્થિત ગુરુદ્વારામાં ગુરુદ્વારા સમિતિ દ્વારા 357મા પ્રકાશ પર્વની ઉજવણીનો આજે મંગળવારે શુભારંભ કરાયો હતો. આ ઉજવણી તા.3, 4, 5 જાન્યુઆરી સુધી એમ ત્રિદિવસીય ચાલનારી છે.
ગુરુગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ગુરુગોવિંદજીના 357મા પ્રકાશ વર્ષની ઉજવણીનું આયોજન વાપી ગુરુદ્વારામાં કરવામાં આવ્યું છે. આ પર્વની બે ખુશી સાથે ઉજવણી થશે. 25 વર્ષ પહેલા નાના ગુરુદ્વારાની સ્થાપના કરાઈ હતી. વાપી સહિત વલસાડ જિલ્લા અને દમણ-સેલવાસની સંગતના અપુર્વ યોગદાન થકી ઈનોવેટ કરી ભવ્ય ગુરુદ્વારા (ગુરુઘર) બનાવાયું છે તેની લોકાર્પણ વેળા પણ આ ઉજવણીમાં સાંકળી લેવાઈ છે. ગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ત્રણ દિવસ ભજન-કિર્તન સવાર-સાંજ લંગરનું ભવ્ય આયોજન કરાયું છે તે માટે વિવિધ ગુરુવાણીના રાગી પધારેલા છે. તેઓ સવાર-સાંજ ભજન કિર્તન કરાવશે. કોઈપણ ભેદભાવ વગર સમાજના તમામ વર્ગને લંગર સહિત ભજન કિર્તનનો ત્રણ દિવસ લાભ લેવા જાહેર આમંત્રણ સમિતિ દ્વારા પાઠવાયું છે.