Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

357મા પ્રકાશ વર્ષની ત્રિદિવસીય ઉજવણીમાં સવાર-સાંજ કિર્તન પ્રવાહ અને લંગરનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી સેલવાસ રોડ સ્‍થિત ગુરુદ્વારામાં ગુરુદ્વારા સમિતિ દ્વારા 357મા પ્રકાશ પર્વની ઉજવણીનો આજે મંગળવારે શુભારંભ કરાયો હતો. આ ઉજવણી તા.3, 4, 5 જાન્‍યુઆરી સુધી એમ ત્રિદિવસીય ચાલનારી છે.
ગુરુગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ગુરુગોવિંદજીના 357મા પ્રકાશ વર્ષની ઉજવણીનું આયોજન વાપી ગુરુદ્વારામાં કરવામાં આવ્‍યું છે. આ પર્વની બે ખુશી સાથે ઉજવણી થશે. 25 વર્ષ પહેલા નાના ગુરુદ્વારાની સ્‍થાપના કરાઈ હતી. વાપી સહિત વલસાડ જિલ્લા અને દમણ-સેલવાસની સંગતના અપુર્વ યોગદાન થકી ઈનોવેટ કરી ભવ્‍ય ગુરુદ્વારા (ગુરુઘર) બનાવાયું છે તેની લોકાર્પણ વેળા પણ આ ઉજવણીમાં સાંકળી લેવાઈ છે. ગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ત્રણ દિવસ ભજન-કિર્તન સવાર-સાંજ લંગરનું ભવ્‍ય આયોજન કરાયું છે તે માટે વિવિધ ગુરુવાણીના રાગી પધારેલા છે. તેઓ સવાર-સાંજ ભજન કિર્તન કરાવશે. કોઈપણ ભેદભાવ વગર સમાજના તમામ વર્ગને લંગર સહિત ભજન કિર્તનનો ત્રણ દિવસ લાભ લેવા જાહેર આમંત્રણ સમિતિ દ્વારા પાઠવાયું છે.

Related posts

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વમાં રાજ્‍ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ

vartmanpravah

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસ પોલીસે લૂંટ અને મારામારીના કેસમાં પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment