Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

357મા પ્રકાશ વર્ષની ત્રિદિવસીય ઉજવણીમાં સવાર-સાંજ કિર્તન પ્રવાહ અને લંગરનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી સેલવાસ રોડ સ્‍થિત ગુરુદ્વારામાં ગુરુદ્વારા સમિતિ દ્વારા 357મા પ્રકાશ પર્વની ઉજવણીનો આજે મંગળવારે શુભારંભ કરાયો હતો. આ ઉજવણી તા.3, 4, 5 જાન્‍યુઆરી સુધી એમ ત્રિદિવસીય ચાલનારી છે.
ગુરુગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ગુરુગોવિંદજીના 357મા પ્રકાશ વર્ષની ઉજવણીનું આયોજન વાપી ગુરુદ્વારામાં કરવામાં આવ્‍યું છે. આ પર્વની બે ખુશી સાથે ઉજવણી થશે. 25 વર્ષ પહેલા નાના ગુરુદ્વારાની સ્‍થાપના કરાઈ હતી. વાપી સહિત વલસાડ જિલ્લા અને દમણ-સેલવાસની સંગતના અપુર્વ યોગદાન થકી ઈનોવેટ કરી ભવ્‍ય ગુરુદ્વારા (ગુરુઘર) બનાવાયું છે તેની લોકાર્પણ વેળા પણ આ ઉજવણીમાં સાંકળી લેવાઈ છે. ગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ત્રણ દિવસ ભજન-કિર્તન સવાર-સાંજ લંગરનું ભવ્‍ય આયોજન કરાયું છે તે માટે વિવિધ ગુરુવાણીના રાગી પધારેલા છે. તેઓ સવાર-સાંજ ભજન કિર્તન કરાવશે. કોઈપણ ભેદભાવ વગર સમાજના તમામ વર્ગને લંગર સહિત ભજન કિર્તનનો ત્રણ દિવસ લાભ લેવા જાહેર આમંત્રણ સમિતિ દ્વારા પાઠવાયું છે.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા શાનદાર આઝાદ દિને ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

Leave a Comment