લક્ષદ્વીપને દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ બનાવવા પ્રશાસને શરૂ કરેલી કવાયત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.01
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણ પામી રહેલ રાજ નિવાસનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પોતાના નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા પણ નિર્દેશ આપ્યો હતો.અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન અહીંની પ્રજાને કોઈ તકલીફ નહીં પડે અને તેઓ આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરતા રહે છે.