February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

કેન્‍દ્રના સંરક્ષણ અને પ્રવાસન રાજ્‍ય મંત્રી અજય ભટ્ટ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લક્ષદ્વિપના પ્રવાસન વિકાસ અંગે મહત્‍વની ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવારતી, તા.31
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્‍દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વિપ પણ વિકાસથી વંચિત નહીં રહી જાય અને આ પ્રદેશનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા નિયમિત રીતે મુલાકાતો લેતા રહે છે. શનિવારે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણથી લક્ષદ્વિપની ઉડાન ભરી હતી.
લક્ષદ્વિપના કવારતી ખાતે પ્રદેશના વિકાસ માટે અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારી મેળવી હતી અને વિવિધ કામોની સમીક્ષા પણ કરી હતી.
દરમિયાન લક્ષદ્વિપના કવારતી ખાતે પધારેલા કેન્‍દ્રના રાજ્‍યકક્ષાના સંરક્ષણ અને પ્રવાસન મંત્રી શ્રી અજય ભટ્ટ સાથે પ્રદેશના પ્રવાસન વિકાસ અને સંરક્ષણ દૃષ્‍ટિએ પ્રદેશના વ્‍યૂહાત્‍મક મહત્‍વ વિશે ઉપયોગી ચર્ચા-વિચારણા પણ કરી હતી.
સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકાર દ્વારા લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. જેની કડીમાં અવરોધતાપરિબળો સામે પણ પ્રશાસને બાથ ભીડવાની શરૂઆત કરી છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વર્ષોથી ઉપેક્ષિત રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવની શરૂ કરેલી કાયાપલટ બાદ હવે લક્ષદ્વિપના વિકાસને પણ ચાર ચાંદ લગાવવાના પ્રયાસો તેજ કર્યા છે.

Related posts

ચીખલીના કુકેરીમાં દૂધ ઉત્‍પાદક અને સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં યોજાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

vartmanpravah

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્‍યક્ષતામાં પારડી તાલુકા – શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મળી

vartmanpravah

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

vartmanpravah

Leave a Comment