April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

કેન્‍દ્રના સંરક્ષણ અને પ્રવાસન રાજ્‍ય મંત્રી અજય ભટ્ટ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લક્ષદ્વિપના પ્રવાસન વિકાસ અંગે મહત્‍વની ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવારતી, તા.31
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્‍દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વિપ પણ વિકાસથી વંચિત નહીં રહી જાય અને આ પ્રદેશનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા નિયમિત રીતે મુલાકાતો લેતા રહે છે. શનિવારે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણથી લક્ષદ્વિપની ઉડાન ભરી હતી.
લક્ષદ્વિપના કવારતી ખાતે પ્રદેશના વિકાસ માટે અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારી મેળવી હતી અને વિવિધ કામોની સમીક્ષા પણ કરી હતી.
દરમિયાન લક્ષદ્વિપના કવારતી ખાતે પધારેલા કેન્‍દ્રના રાજ્‍યકક્ષાના સંરક્ષણ અને પ્રવાસન મંત્રી શ્રી અજય ભટ્ટ સાથે પ્રદેશના પ્રવાસન વિકાસ અને સંરક્ષણ દૃષ્‍ટિએ પ્રદેશના વ્‍યૂહાત્‍મક મહત્‍વ વિશે ઉપયોગી ચર્ચા-વિચારણા પણ કરી હતી.
સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકાર દ્વારા લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. જેની કડીમાં અવરોધતાપરિબળો સામે પણ પ્રશાસને બાથ ભીડવાની શરૂઆત કરી છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વર્ષોથી ઉપેક્ષિત રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવની શરૂ કરેલી કાયાપલટ બાદ હવે લક્ષદ્વિપના વિકાસને પણ ચાર ચાંદ લગાવવાના પ્રયાસો તેજ કર્યા છે.

Related posts

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

વાપી હાઈવે ઉપર મધરાતે ટ્રક પલટી મારી જતા પારડી-વલસાડ સુધી ટ્રાફિક જામ : વાહનોની કતાર

vartmanpravah

ચીખલી નજીક થાલામાં ગુજરાત ગેસ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ખોદકામ કરાતા સ્‍થાનિકોમાં ભભૂકેલો રોષ

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

Leave a Comment