Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

કેન્‍દ્રના સંરક્ષણ અને પ્રવાસન રાજ્‍ય મંત્રી અજય ભટ્ટ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લક્ષદ્વિપના પ્રવાસન વિકાસ અંગે મહત્‍વની ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવારતી, તા.31
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્‍દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વિપ પણ વિકાસથી વંચિત નહીં રહી જાય અને આ પ્રદેશનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા નિયમિત રીતે મુલાકાતો લેતા રહે છે. શનિવારે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણથી લક્ષદ્વિપની ઉડાન ભરી હતી.
લક્ષદ્વિપના કવારતી ખાતે પ્રદેશના વિકાસ માટે અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારી મેળવી હતી અને વિવિધ કામોની સમીક્ષા પણ કરી હતી.
દરમિયાન લક્ષદ્વિપના કવારતી ખાતે પધારેલા કેન્‍દ્રના રાજ્‍યકક્ષાના સંરક્ષણ અને પ્રવાસન મંત્રી શ્રી અજય ભટ્ટ સાથે પ્રદેશના પ્રવાસન વિકાસ અને સંરક્ષણ દૃષ્‍ટિએ પ્રદેશના વ્‍યૂહાત્‍મક મહત્‍વ વિશે ઉપયોગી ચર્ચા-વિચારણા પણ કરી હતી.
સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકાર દ્વારા લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. જેની કડીમાં અવરોધતાપરિબળો સામે પણ પ્રશાસને બાથ ભીડવાની શરૂઆત કરી છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વર્ષોથી ઉપેક્ષિત રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવની શરૂ કરેલી કાયાપલટ બાદ હવે લક્ષદ્વિપના વિકાસને પણ ચાર ચાંદ લગાવવાના પ્રયાસો તેજ કર્યા છે.

Related posts

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

Leave a Comment