October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: રાજ્‍ય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજા કલ્‍યાણલક્ષી યોજનાઓ/વિકાસ કાર્યક્રમોની જાણકારી શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્‍તારના લોકો સુધી પહોંચે તે માટે પરંપરાગત માધ્‍યમના કાર્યક્રમો પ્રચાર-પ્રસારનું અસરકારક માધ્‍યમ છે. પ્રગતિશીલ ગુજરાત રાજયની વિવિધ યોજનાઓનો બહોળો પ્રચાર થાય તે માટે જિલ્લા માહિતી કચેરી વલસાડ દ્વારા હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્‍સવમાં લોકડાયરાના માધ્‍યમથી લોકોમાં જાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં વિવિધ કલા મંડળોને કાર્યક્રમોની ફાળવણી કરવામાં આવી છે. જેમને રાજ્‍ય સરકાર દ્વારા નિયત કરાયેલા પુરસ્‍કારની રકમ પણ આપવામાં આવે છે.
આ કલા મંડળો પૈકી બીલપુડીના પ્રગતિ મહિલા મંડળને પણ કાર્યક્રમોની ફાળવણીકરવામાં આવી હતી. જેમાં પારડી તાલુકાના પંચલાઈ અને નેવરી ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળ્‍યો હતો. બંને ગામોના સરપંચોએ માહિતી ખાતા દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સરાહનીય છે, તેમ જણાવ્‍યું હતું. પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનીતાબેન ગાવિતે મહિલાઓને લગતી વિવિધ યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લેવા શું કરવું તેની પણ સમજણ આપી હતી. ચોમાસાની ઋતુમાં વિવિધ રોગો સામે રક્ષણ મળે તે માટે રાખવાની તકેદારી બાબતે પણ માહિતગાર કર્યા હતા.
વલસાડ જિલ્લામાં લોકડાયરા, ભવાઈ, કઠપૂતળી, નાટક વગેરે ક્ષેત્રમાં કામ કરતા મંડળો તેમના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓના પ્રચાર પ્રસારના કાર્યક્રમમાં સહભાગી થવા માંગતા હોય તેમણે જિલ્લા માહિતી કચેરી, સેવા સદન 1, ધરમપુર રોડ, વલસાડનો સંપર્ક સાધવાનો રહેશે.

Related posts

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

દાનહ કૃષિ અને વન વિભાગ દ્વારા પ્રદેશના ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર અને જીવામૃત બનાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

Leave a Comment