આસામ ખાતે ઓબીસી મોર્ચાને વધુ સક્રિય અને ગતિશીલ બનાવવા વિશાલભાઈ ટંડેલે શરૂ કરેલા પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03
ભારતીય જનતા પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્યના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ આજે પોતાની ત્રણ દિવસીય આસામની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં ગુવહાટી એરપોર્ટ ખાતે આસામ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ મહામંત્રી શ્રી સૌરવકુમાર નાથ તથા મીડિયા કન્વીનર શ્રી દાદામુનીએ શ્રી વિશાલભાઈ ટંડેલનું અભિવાદન કર્યુ હતું.
સર્કિટ હાઉસ ખાતે ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય મંત્રી શ્રી બી.કે.નાથે, આસામી ગમછો પહેરાવી શ્રી વિશાલભાઈ ટંડેલનું સન્માન કરી શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. શ્રીવિશાલભાઈ ટંડેલ આસામ ખાતે પોતાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ઓ.બી.સી. મોર્ચાને વધુ ગતિશીલ બનાવવા પ્રયાસ કરશે.