(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદ્ઘાટન નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી ડો. અપૂર્વ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પ્રશાસનના દરેક વિભાગની સેવાઓ માટે અરજીઓ સ્વીકાર કરવામાં આવ્યા અંદાજીત 1500 જેટલા લોકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં વિવાદિત કેસોમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં 669 અરજીઓનો સ્થળ પર જ નિકાલકરવામા આવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર શ્રી તીરથરામ શર્મા, ખરડપાડા અને નરોલી પંચાયતના સરપંચ, ખરડપાડા અને નરોલી વિભાગના જિલ્લા પંચાયતના સભ્યો, પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.