January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે આજે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શિબિરનું ઉદ્‌ઘાટન નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ અને જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી ડો. અપૂર્વ શર્માના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં પ્રશાસનના દરેક વિભાગની સેવાઓ માટે અરજીઓ સ્‍વીકાર કરવામાં આવ્‍યા અંદાજીત 1500 જેટલા લોકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં વિવાદિત કેસોમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં 669 અરજીઓનો સ્‍થળ પર જ નિકાલકરવામા આવ્‍યો હતો. આ પ્રસંગે મામલતદાર શ્રી તીરથરામ શર્મા, ખરડપાડા અને નરોલી પંચાયતના સરપંચ, ખરડપાડા અને નરોલી વિભાગના જિલ્લા પંચાયતના સભ્‍યો, પંચાયતના સભ્‍યો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

ભાજપની જાહેર સભામાં જનમેદની લાવવા પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે ભજવેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે કચીગામ અને ભીમપોરમાં બાલવાડીના ઉદ્‌ઘાટન કરાયા

vartmanpravah

વિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment