July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે આજે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શિબિરનું ઉદ્‌ઘાટન નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ અને જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી ડો. અપૂર્વ શર્માના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં પ્રશાસનના દરેક વિભાગની સેવાઓ માટે અરજીઓ સ્‍વીકાર કરવામાં આવ્‍યા અંદાજીત 1500 જેટલા લોકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં વિવાદિત કેસોમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં 669 અરજીઓનો સ્‍થળ પર જ નિકાલકરવામા આવ્‍યો હતો. આ પ્રસંગે મામલતદાર શ્રી તીરથરામ શર્મા, ખરડપાડા અને નરોલી પંચાયતના સરપંચ, ખરડપાડા અને નરોલી વિભાગના જિલ્લા પંચાયતના સભ્‍યો, પંચાયતના સભ્‍યો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે હવે ગણાતા દિવસો : ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

vartmanpravah

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

કલાકાર પોતાના સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ બરદાસ્‍ત નહી કરે : કરન જાદુગર

vartmanpravah

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment