(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા ચલાવવામાં આવી રહેલ સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે સક્રિય સદસ્ય અભિયાનના સહ સંયોજક શ્રી મનીષભાઈ દેસાઈ અને ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ દ્વારા દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર સહિત યુવાનેતા શ્રી અભિનવ ડેલકર અને શ્રી ઈંદ્રજિત પરમારને ફોર્મ ભરાવીને સક્રિય સભ્ય બનાવવામાં આવ્યા હતા.