April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

દીવમાં થઈ રહેલા વિકાસ કામોનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બારિકાઈથી નિરીક્ષણ કરી અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી સૂચનો અને દિશા-નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક અને વિકાસ પુરૂષ શ્રી પ્રફુલભાઈ પટેલ આજે બપોરે 12:30 કલાકે દીવ પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓનું જલંધર સર્કિટ હાઉસ ખાતે આગમન થતા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને દીવના થઈ રહેલા તમામ વિકાસના કાર્યો વિશેની જાણકારી મેળવી હતી. દરમિયાન દીવ ખાતે યોજાનાર ઞ્‍20ની બેઠકની તૈયારી તથા આયોજન અંગે પણ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ તથા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે વિસ્‍તૃત ચર્ચા-વિચારણાં કરી હતી.
સાંજે 5:00 કલાકે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં થઈ રહેલા વિવિધ વિકાસ કામોનું નિરિક્ષણ કર્યું હતું. જેમાં તેઓએ દીવ કિલ્લો, દીવ ફોર્ટ સર્કિટ હાઉસ, એજ્‍યુકેશન હબ વગેરેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને ઉપસ્‍થિત અધિકારીઓ, એન્‍જિનિયરો તથા કોન્‍ટ્રાક્‍ટરો જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્‍યુંહતું.
અત્રે યાદ રહે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિકાસ કામોમાં વાપરવામાં આવતા મટીરીયલની પણ બારિકાઈથી તપાસ કરી હતી કામમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે કચાશ નહીં રહી જાય તથા કામ સમયસર પૂર્ણ થાય તે બાબતે જવાબદાર તમામને સુચના આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીવ મુલાકાત પ્રસંગે દીવ જિલ્લા કલેક્‍ટર શ્રી ફવર્મન બ્રહ્મા, સરકારી વિવિધ શાખાના અધિકારીઓ, એન્‍જિનિયરો, કોન્‍ટ્રાક્‍ટરો, કાઉન્‍સિલરો વગેરે હાજર રહ્યા હતા.

Related posts

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાઓમાં ગાડીઓ પટકાઈ રહી છે : તંત્રની ઘોર બેદરકારી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

Leave a Comment