Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન અને કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસરઅતિક્રમણને હટાવવા માટે સબંધિત વ્‍યક્‍તિઓને સુચિત કરવામા આવ્‍યા હતા. પરંતુ આપવામા આવેલ સમય સુધીમા તેઓએ ગેરકાયદેસર બાંધકામો હટાવ્‍યા ન હતા. જેથી એને દૂર કરવાની કામગીરી પ્રશાસન દ્વારા શરૂ કરવામા આવી છે.
સેલવાસ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલ ગામમા અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામા આવ્‍યા છે.આવનાર દિવસોમા નરોલી પટેલાદ અને દપાડા પટેલાદના દરેક ગ્રામજનો જેઓએ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલ હશે. તેને હટાવવાની પ્રશાસનિક કાર્યવાહી કરવામા આવશે. જેનુ સર્વે પણ થઇ ચુકયુ છે.
પ્રશાસન દ્વારા જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે કોઈપણ સરકારી જમીન, સરકારી કોતર અને નહેર પર જે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે એને તેઓ પોતે જ દૂર કરી દે અથવા તો પ્રશાસન દ્વારા એને હટાવવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment